*આજે શનિવાર એ શનિદેવ તેમજ હનુમાનજી મહારાજનો દિવસ કહેવાય છે. આજના દિવસે લોકો શનિ મંદિરે તેમજ હનુમાનજી મંદિર પર પુજા, પ્રાર્થના કરતા નજરે પડતા હોય છે.*
*આપણા હિન્દુઓના રામાયણ મહાગ્રંથમા અનેક પ્રેરણાદાયી પાત્રો છે, તે દરેકે દરેક પાત્રનો સંસારને એક અનેરો બોધ છે, સંદેશ છે. એ અમુલ્ય સંદેશોને આપણે આપણા જીવનમા સમન્વિત કરવા જોઈએ.*
*આ બધા પાત્રોમા જો વિશેષ બોધ આપતો કોઇ પાત્ર હોય તો તે છે, હનુમાનજી મહારાજ. તેમણે આ સંસારને નિષ્ઠા રાખવાનો શ્રેષ્ઠતમ બોધ પોતાના જીવન-કવન દ્વારા આપ્યો છે.*
*શ્રી રામચંદ્ર ભગવાનના સેવક તરીકે તેમની ભુમિકા સદૈવ સામયિક છે. રામચંદ્ર ભગવાન સાથે જોડાયા પછી તેઓ રામના બની ગયા હતા. સુતા, બેઠતાં અને ખાતા-પીતાં એમના હ્રદયમા રામજી જ રહેતા.*
*પોતાનુ સમગ્ર જીવન તેમણે રામજીને સમર્પિત કરી દિધુ હતું. એક સેવકની સ્વામી પ્રત્યેની નિષ્ઠા હનુમાનજી દાદાએ સુપેરે નીભાવી તેમજ આપણ સૌને પણ એક સંદેશ આપ્યો કે, - હે સંસારી-જનો આપ પણ આપના દરેક રીસતા-નાતામા નિષ્ઠ રહેજો. આપના દરેક સબંધો પતિ-પત્ની, પિતા-પુત્ર, ભાઇ-બહેન, ભાઇ-ભાઇ, મિત્ર-મિત્ર... વગેરે વગેરે સંસારના, સમાજના દરેક સબંધમા પુર્ણ નિષ્ઠ રહેજો. જો તમે સંપુર્ણ નિષ્ઠા સાથે તમારા સબંધોને નીભાવસો તો તમારી પોતાની મહિમા, ગરીમા અનંતગણી વધશે અને તમારા જે તે સબંધ પણ દિવ્ય બનશે.*
*ચાલો, આ શનિવારે આપણે સૌ નિષ્ઠાવાન બનીએ, આપણા દરેક સબંધોને નિષ્ઠાના નેજા હેઠળ નવપલ્લવિત કરીએ અને વિકસિત કરીએ..*
- દશરથદાન ગઢવી
(ચારણ-પ્રતિભા મેગેઝીન )
0 Comments
Post a Comment