Charan pratibha


મનુષ્ય એ સર્જનહારનું શ્રેષ્ઠતમ સર્જન છે, રચના છે. આ ધરતી પરના તમામ જીવોથી તે અનેક રીતે ચડીયાતો છે. સંસારની ૮૪ લાખ યોનીઓ પૈકી આ મનુષ્ય યોનીજ ઉતમ છે. માણસ ધારે તો નર માંથી નારાયણ બની શકે છે, તેમ છતાં આપણે આપણી હાલત જોતા આ નર માંથી નારાયણ બનવાની વાત ગળે ઉતરતી નથી...


આજના મનુષ્યની દયનીય હાલત જોતા તેને સૃષ્ટિના સર્જનહારની શ્રેષ્ઠ રચના કહેતા મન પણ માનતુ નથી. 


આળસ, લઘુતાગ્રંથિ અને સાહસની ઉણપના કારણે વર્તમાન સમયનો માનવી બેચારો અને લાચાર બની બેઠો છે. નીચેના પ્રેરણાદાયી વાક્યને સમજી પોતાના જીવનમા હર કોઇએ ઉતારવો જોઇએ અને પોતાના જીવનમા કઠોરતમ સંધર્ષ કરીને પણ સફળ બનવુ જોઇએ. 


- દશરથદાન ગઢવી 

(ચારણ-પ્રતિભા મેગેઝીન)