રવિવાર એટલે સુર્યનો વાર.
*આપણા રૂષિ-મુનિઓ બહુ જ મેધાવી તેમજ પ્રજ્ઞાવાન હતા તેમણે આ પ્રકૃતિના તમામ આયોમો, ઘટકો અને સમય તેમજ તેના દ્વારા થતા ફેરફારોને શુભ તેમજ સુંદર ઉર્જાદાયી નામ આપ્યા છે તેમજ તેમના માપદંડ અને હેતુ નિર્ધારિત કર્યા છે.*
*આ સમયરુપી ચક્ર સતત ફરતો રહે છે, આપણા પુર્વજોએ તેને 365 દિવસમા વર્ષ તેમજ 30 દિવસે એક માસ અને આઠ દિવસના એક અઠવાડિયા રુપે વિભાજિત કરેલ છે. આ વિભાજન દ્રારા આપણને આપણા જીવન વ્યવસ્થાપનમા બહુજ અનુકુળતા રહે છે તેમજ સુગમતા રહે છે.*
*દરેક મહિનાના સહેતુક નામ અને એજ રીતે દરેક માસના પણ નામકરણ કરવામા આવેલ છે.* *આપણા અઠવાડીયાના દિવસોના નામ ગ્રહો આધારિત રખાયા છે. સોમવાર એ ચંદ્રનો વાર છે. આ દિવસની પ્રકૃતિ ચંદ્ર જેવી સોમ્ય હોય છે. મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ બધા પણ દિવસો જે તે ગ્રહો સાથે જોડાયેલા છે.*
*ખાસ નોંધ લેજો આ નામ માત્ર ઓળખ માટે નથી રાખ્યા પણ તેની સાથે ખગોળ વિદ્યા, જ્યોતિષ વિદ્યા અને અધ્યાત્મ વિદ્યા પણ જોડાયેલી છે.*
*હવે, આજના રવિવાર પર આવીએ...*
*રવિવાર એટલે ઉર્જાનો વાર. આજના દિવસે આપણે આપણી ઉર્જા વધે તેવા પ્રયાસો કરવા જોઈએ પરંતુ આપણે તો આધુનિક જીવનશૈલીના કારણે આજના દિવસે જ બહુ આળસ કરીએ છીંએ..*
*સુર્ય જ આપણા સૌના પાલક પોષક છે. સુર્ય ઉદયથી જ આપણો જીવન પ્રાણમય બને છે અને આપણે જીવી શકીએ છીંએ...*
આપણે સૌ પણ આ ☀ Sunday એટલે કે રવિવારનો સદ ઉપયોગ કરીએ અને ઉર્જાવાન બનીએ..
- દશરથદાન ગઢવી, થરાદ
0 Comments
Post a Comment