માણસનુ વ્યકિતત્વ જ એની સાચી સુગંધ ફેલાવે છે. પોતાના ચારિત્ર્ય અંગે આપણે સદાય સભાન રહેવું જોઈએ. દુનિયામાં આધુનિકતાના નામે ગમે તેવા ફેરફારો થતાં રહે પણ ચારિત્ર્યવાન મનુષ્ય પોતાના સિધ્ધાંતોને ક્યારેય છોડતો નથી.. 

ચારણ પ્રતિભા


" કથની તેવી કરણી " મુજબ જે કાંઇ વ્યકિત બોલતો હોય તે તેના કર્મમા પણ દેખાવું જોઇએ. માનવતાના તમામ માપદંડો જે આપણું ઉધર્વગમન કરાવે છે, તેને આપણા જીવન કવનમાં વણવા જોઇએ.. 


માણસ બોલે નહીં તો પણ તેનું ચરિત્ર બોલતું હોય છે, તેનું વ્યકિતત્વ બોલતુ હોય છે એટલે આપણે સૌએ પોતાના વ્યક્તિત્વ તરફ , ચરિત્ર તરફ ધ્યાન આપવું જોઈએ.

આપણા ચારિત્ર્યથી જ આપણું ભાગ્ય નિર્માણ થાય છે. 


- દશરથદાન ગઢવી 

(ચારણ-પ્રતિભા મેગેઝીન )