આજે ફાગણ સુદ ૪ એટલે પદ્મશ્રી ભક્તકવિ દુલાભાયા કાગ (ભગતબાપુ) ની ૪૪ મી પુણ્ય તિથિ 



તે નિમિતે આજે (ભગત બાપુ) નો સંક્ષિપ્ત પરિચય


 *નામ: -* દુલા ભાયા કાગ

 *પિતાનુ નામ નામ: -* ભાયાભાઈ કાગ

 *જન્મ તારીખ: -* 25-11-1902

 *જન્મ સ્થળ: -* સોડવદરી

 *અભ્યાસ : -* પાંચ ધોરણ

 *કવિતા: -* કાગવાની ભાગ 1 મી 8

 *અવશાન: -* ફાગણ - સુદ -૪ અને તા. 22-02-1977


 *26.26-1962 ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો.*

દુલા ભાયા કાગ ગુજરાતી કવિ , ગીતકાર , લેખક હતા . તેમનો જન્મ સૌરાષ્ટ્રના સોડવદરી ગામે થયો હતો . • જ્ઞાન , ભક્તિ અને નીતિ - આચરણ જેવા વિષયોને ચારણી છંદ , ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે . 

તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે , જે ભજનો , રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે . તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે . • *૨૫ નવેમ્બર ૨૦૦૪ ના રોજ ભારત સરકારના ટપાલ વિભાગ તરફથી તેમના માનમાં ૫ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી*


 તેમની પુણ્યતિથિ નિમિત્તે આવિ મહાન વિભૂતિને કોટિ કોટિ વંદન


કાગબાપુ ની પુણ્યતિથિ પર ગુજરાત ગૌરવ સમાન કવિને નમન 


*સંપૂણ માહિતી માટે નીચેની લિંક ઓપન કરો :-*

http://charantva.blogspot.com/2021/03/blog-post_17.html