રાજસ્થાનનું એક મંદિર પ્રાચીન સમયથી જ ખૂબ જ રહસ્યમયી રહ્યું છે. બાડમેર જિલ્લામાં સ્થિત આ મંદિરનું નામ છે કિરાડૂ મંદિર. આખા રાજસ્થાનમાં ખજૂરાહોનું મંદિર તરીકે ઓળખવામાં આવતું આ મંદિર પ્રેમીઓને વિશેષ આકર્ષિત કરે છે. પરંતુ અહીં બીજી એક ખોફનાક હકીકત છે જેને જાયા પછી કોઈપણ વ્યક્તિ અહીં સાંજ પડ્યા પછી હિંમત નથી કરતું. જોકે, માન્યતા છે કે, જે પણ વ્યક્તિ આ મંદિરમાં સૂર્યોદય પછી રોકાય જાય છે તે પથ્થર બની જાય છે. કિરાડૂમાં મુખ્યરૂપથી પાંચ મંદિર છે, જે લગભગ 900 વર્ષ જુના માનવામાં આવે છે.
![]() |
Play video |
જે અહીં સાંજ પછી રોકાય છે તે બની જાય છે પત્થર
કિરાડૂના મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં સાંજ ઢળ્યા પછી જે પણ વ્યક્તિ રોકાય છે તે કાં તો પત્થર બની જાય છે કે પછી તેનું મૃત્યુ થઈ જાય છે. કિરાડૂ વિશે એવી માન્યતા વર્ષો સુધી ચાલી આવી રહી છે કે પત્થર બની જવાના ડરથી અહીં સાંજ પડતા જ આ વિસ્તાર સૂનસાન બની જાય છે.
આ માન્યતા પાછળનું કારણ
આ માન્યતાની પાછળ એક અનોખી કહાની છે. એવું કહેવામાં આવે છે કે, કિરાડૂની આસપાસ લોકો વસતાં હતાં. અહીં ઘણી વસ્તી હતી. આ જગ્યાને વિરાન એક શ્રાપે બનાવી. વર્ષો પહેલાં કિરાડૂમાં એક તપસ્વી પધાર્યાં. તેમની સાથે શિષ્યોની એક ટોળકી હતી. તપસ્વી એક દિવસ શિષ્યોને છોડીને દેશાટન ચાલ્યા ગયા. આ દરમિયાન કેટલાક શિષ્યોનું સ્વાસ્થ ખરાબ થઈ ગયું. ગામવાળાઓએ તેમની કોઈ જ મદદ ન કરી. તપસ્વી જ્યારે પાછા કિરાડૂ આવ્યા અને પોતાના શિષ્યોની દુર્દશા જોઈ તો ગામવાળા લોકોને શ્રાપ આપ્યો કે જે લોકોનું હૃદય પાષાણ(પત્થર)નું હોય તે માણસ બની રહેવા યોગ્ય નથી એટલા માટે બધા પત્થર બની જાઓ.
એક કુંભારણ હતી જેને શિષ્યોની મદદ કરી હતી. તપસ્વીએ તેની ઉપર દયા કરીને કહ્યું કે ગામમાં જતી રહે નહીં તો તું પણ પત્થરની બની જઈશ. પરંતુ યાદ રાખજે કે જતી વખતે પાછી વળીને ન જોતી.
કુંભારણ ગામથી ચાલી ગઈ પરંતુ તેના મનમાં એવી શંકા થવા લાગી કે તપસ્વીની વાત સાચી પણ છે કે નહીં. અને તે પાછા વાળીને જોવા લાગી અને તે પણ પત્થરની બની ગઈ. સિંહણી ગામમાં કુંભારની પત્થરની મૂર્તિ આજે પણ આ ઘટનાની યાદ અપાવે છે.
કેવી રીતે પહોચવું
દેશનાં કોઇપણ ખૂણાંથી વાયુ, રેલ તથા સડગ માર્ગથી જોધપુર પહોંચીને કિરાડૂ પહોંચી શકાય છે.
કિરાડૂ મંદિર
સોલંકી સ્થાપત્યની અદભૂત મિસાલ છે મંદિરના આ સ્તંભ.
0 Comments
Post a Comment