રિઇનકારનેશન એટલે કે પુનર્જન્મ એક એવો મુદ્દો છે જેના વિશે લોકો કાયમ જાણવા ઈચ્છે છે. હિન્દુત્વના સિવાય અન્ય પણ કેટલાય ધર્મ છે જે માને છે કે મનુષ્યનો મૃત્યુ પછી બીજો જન્મ થાય છે. દાખલા તરીકે બૌદ્ધ ધર્મ પણ એવું જ માને છે. મિશ્રના જૂના લોકો પણ આ આવધારણામાં વિશ્વાસ કરે છે એટલે તે સ્મારક અને મૃત શરીરને જીવિત રાખવા માટે મમીજ બનાવતા હતા.
![]() |
Play video |
હિન્દુ માન્યતા મુજબ પુનર્જન્મથી તાત્પર્ય આત્માના જીવમાં ફરીથી પ્રવેશ કરવાથી છે. હિન્દુ પૌરાણિક કથાઓ મુજબ પુનર્જન્મનું સૌથી મોટું ઉદાહરણ ભગવાન વિષ્ણુના અવતાર છે. તેમણે પૃથ્વીમાંથી આસુરી શક્તિઓનો નાશ કરવા માટે કેટલીય વખત મનુષ્ય અવતાર લીધો. એવી જ રીતે આપણે અન્ય દેવતાઓના પણ પુનર્જન્મ વિશે સાંભળીએ છીએ.
આત્માની અવધારણા
હિન્દુ માન્યતા પ્રમાણે આત્મા ક્યારેય નથી મરતી. વ્યક્તિની મૃત્યુ પછી પણ આત્મા જીવિત રહે છે. આત્મા શરીર એવી રીતે બદલે છે જેમ આપણે કપડાં બદલતા હોઈએ. નવા જન્મમાં આપણને ક્યા જીવનું શરીર મળશે એ આપણાં પાછલા જન્મના સારા ખરાબ કર્મો પર નિર્ભર કરે છે. જો કોઈ વ્યક્તિ સારા કર્મ કરે છે તો તેને મનુષ્ય જન્મ મળશે અને જો કોઈ વ્યક્તિના કર્મ ખરાબ છે તો પોતાના કર્મ મુજબ તે બીજું શરીર ગ્રહણ કરશે.
આશ્ચર્યજનક તથ્યો જે કદાચ તમે નહીં જાણતા હોવ
1. ઘણી વખત મનુષ્ય મનુષ્યના રૂપમાં જ જન્મ લે છે, પરંતુ કેટલીય વખત આ પશુ રૂપમાં પણ જન્મ લે છે જે તેમાં કર્મો પર નિર્ભર કરે છે.
2. જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓને પૂરી કર્યા વિના જ મૃત્યુ પામે છે તો તે ભૂત બની જાય છે. તેની આત્મા સાંસારિકતામાં ભટકતી રહે છે, તે ત્યાં સુધી બીજો જન્મ નથી લઈ શકતો જ્યાં સુધી તેની ઈચ્છા પૂરી ન થઈ જાય.
3. હિન્દુ ધર્મમાં માનવામાં આવે છે કે માત્ર આ શરીર જ નશ્વર છે જે કે મરણોપરાંત નષ્ટ થઈ જાય છે. કદાચ ટલે જ મૃત્યુ ક્રિયાના અંતર્ગત માથા પર મારીને તોડી દેવામાં આવે છે જેનાથી વ્યક્તિ આ જન્મની બધી વાતો ભૂલી જાય અને આગલા જન્મમાં આ જન્મની વાતો તેને યાદ ન આવે. તેમનું માનવું છે કે આત્મા ખૂબ ઉંચાઈમાં આકાશમાં ચાલી જાય છે જે મનુષ્યની પહોંચથી બહાર છે અને નવા શરીરમાં જ પ્રવેશ કરે છે.
4. આ જાણવું આશ્ચર્યજનક છે કે વ્યક્તિ સાત વખત પુરૂષ અથવા સ્ત્રી બનીને આ શરીર ધારણ કરે છે અને તેને આ તક મળે છે કે તે સારા અથવા ખરાબ કર્મો દ્વારા પોતાનું ભાગ્ય લખે.
5. તમારે એ પણ જાણવું જોઈએ કે આત્મા મૃત્યુના તરત પછી નવો જન્મ નથી લેતી. અમુક વર્ષો પછી જ્યારે સ્થિતિ અનુકૂળ હોય ત્યારે આત્મા નવા શરીરમાં પ્રવેશ કરે છે.
6. અમુક ઋષિઓ મુજબ પુનર્જન્મના સમયે આપણાં દિમાગમાં દરેક વસ્તુઓ રહે છે, પરંતુ અમુક લોકો જ તેને યાદ કરી શસકે છે. તેનો અર્થ એ છે કે આપણાં પુનર્જન્મોની વાત આપણાં દિમાગમાં રેકોર્ડ રહે છે પરંતુ આપણે તેને ક્યારેય યાદ નથી કરી શકતા.
7. હિન્દુઓ માને છે કે મનુષ્યના માથાની વચ્ચે ત્રીજી આંખ હોય છે. તે માત્ર ત્યારે જ ખુલે છે જ્યારે આત્મા પરમાત્માથી મળી જાય છે અને બ્રહ્મ બની જાય છે. તેમનું માનવું છે કે જ્યાં સુધી તે ત્રીજી આંખ ખોલે છે અને ભગવત પ્રાપ્તિ થાય છે ત્યાં સુધી વ્યક્તિ સાંસારિકતા અને વિષય-વાષનામાં બંધાયેલો રહે છે.
0 Comments
Post a Comment