ભારતને રીતી-રીવાજો અને માન્યતાઓનો દેશ કહેવામાં આવે છે. આજકાલ ની ભાગદોડ ભરી ઝીંદગીમાં પતિ-પત્ની ઓ વચ્ચે ઝઘડાઓ અને એકબીજા ને ટાઈમ ન આપવાને કારણે ઝઘડાઓ થતા હોય છે. કામ અને જવાબદારીના પ્રેશરને કારણે પણ વ્યક્તિમાં ઝઘડા થતા હોય છે.

मध्य प्रदेश के शिवपुरी में एक ऐसा ही चमत्कारी टैंक है
Play video 


આ પરેશાની દુર કરવા માટે તમારે કોઈ વાસ્તુ ટીપ્સ લેવાની જરૂર નથી પણ આ કુંડમાં ફક્ત ન્હાવવાની જ જરૂર છે.


મધ્યપ્રદેશ ના શિવપુરીમાં એક એવો ચમત્કારી કુંડ છે જેનું પાણી ચિકિત્સકીય શક્તિઓથી ભરી પડેલ છે. માન્યતા અનુસાર આ પર્યટક સ્થળ પર સ્થિત કુંડમાં જો નવદંપતી ઓ સ્નાન કરે તો તેમની વચ્ચે ઝઘડાઓ નહિ થાય.



આ પવિત્ર અને ચમત્કારી કુંડનું નામ ‘ભદૈયા કુંડ’ છે. અહીનું પાણી ચટ્ટાનો માંથી નીકળીને આ કુંડમાં ભેગું થાય છે. આને ચિકિત્સકીય કુંડ એટલા માટે માનવામાં આવે છે કે આમાં સ્નાન કરવાથી ત્વચા સબંધિત તમામ સમસ્યાઓ દુર થાય છે. આ કુંડને દોઢ સો વર્ષ જુનો માનવામાં આવે છે.


વરસાદનું પાણી એક પ્રાચીન મંદિરની છતમાંથી પડીને બાદમાં કુંડમાં જાય છે. માનવામાં આવે છે ભેખડો (ચટ્ટાનો) માંથી મળી આવતા તત્વોનો જ આમાં કઈ ચમત્કાર છે, જેના લીધે આ પાણી ગુણવાન બની જાય છે. આ જુના કુંડમાં વૃદ્ધ લોકોની સાથે બાળકો અને ન્યૂલી મેરીડ કપલ ન્હાવવા માટે જાય છે.


આનો અર્થ એવો થાય છે કે જયારે તમારે તમારા પાર્ટનર સાથે ઝઘડો થાય એટલે અહી આવી જવું. તમે આને Love Waterfall પણ કહી શકો છો. આ Waterfall ફક્ત ચોમાસામાં જ ચાલુ થાય છે. અન્ય સિઝનમાં પાણી ન હોવાને કારણે આ વોટરફોલ સુકાયેલ રહે છે.