¤ આઇ કામબાઇ ¤


જાંબુડા ગામના ચારણો ઘોડાનીં સોદાગરીં કરતા આઢ 

મહીંના દેશાવર ખેડીં ચોમાસું ઘરને આંગણે ગાળતા .

ચારણિયાણીં ઓ દુઝાણા રાખીંને ઘરનો વહેવાર ચલાવતીં . રામ સીંતા ના ગીંતો ગાતીં કે -

જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે

પરણે સીંતા ને શ્રીં રામ , આવે રાઘવ કુળ નીં જાન .

જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે

પરણે સીંતા ને શ્રીં રામ , આવે રાઘવ કુળ નીં જાન .

જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે

આઈ કામબાઈ નો ઈતિહાસ


જાબુડા ગામ માં કામબાઇ ચારણીંયાણીં વિષે લોકો 

કહેતા કે '' આઇ તો ચોરાશીં લોબડયાળીં દેવીં ઓ 

સાથે રાસ રમતીં , એટલે આઇ નીં આંખો રાતીંયુ 

રહેતીં '' 

કોઇ રાજ ચાકર આઇ નુ રૂપ નીંરખીં રાજા જામ 

લાખા ને જાણ કરે છે. રાજા રાત્રે કામબાઇ ને ઘરે 

આવે છે . આઇ આ જામ લાખો નગર નો ધણીં . 

જામ ના આદર માંન કરો . આઇ કહે ખમ્મા બાપ . 

રાજા સાથે આવેલ ચાકર ઓસરીં માં પડેલ ઢોલીંયો 

ઢાળ્યો આને લાખા જામ ત્યા બેઠા . બેસીં ને જામે 

આઇ ને '' ભાભીં '' કહીં પાણીં માંગ્યુ . '' ભાભીં '' 

કહીં દૂધ માંગ્યુ . આઇ ને આ વેણ અંતર માં ઉતરીં 

ગયુ . રાજા ને રૂવાડે રૂવાડે કામ પ્રગટ થયો છે . આઇ 

ઢાંકેલ થારીં લય ને રાજા પાસે આવે છે .

'' લે બાપ ! તારે જે જોઇતું તું ઇ બધુ !'' કામળીં માં 

ઢાંકેલ થાળીં આપે છે ।

રાજા ચમકીં ગયો ! ને બોલ્યો . શુ ........!

તારે જોઇતું તું ઇ બધુ ! કામબાઇ એ થાળીં ઉઘાડીં . 

થાળીં માં કાપેલા બે થાનેલા જોયા . 

રાજા આરરરર

આઇ ! હુ ભૂલ્યો ! ઘર ભૂલ્યો ! રાજા એ હાથ 

જોડીંયા . 

કામબાઇ હસવા લાગીં ... લે....લે....લે


* હું ભેણીં ને તું ભા , સગા ! આ જુનો સંબંધ .

કવચન કાછેલા ! કિયે અવગણે કાઢિયું !

[ હે રાજા ચારણીં એટલે બહેન ને તુ ક્ષત્રીંય એટલે 

ભાઇ આદિ થીં ચાલ્યો આવતો આ સંબંધ . છતાં હે 

કચ્છ માં થીં આવેલા ( કાછેલા ) જાડેજા રાજા . તે 

ભાભીં એવુ કુવચન કેમ કહીંયુ .]

રાજા ભાગ્યો પાછળ ચારણીં , લેતો જા બાપ ! લેતો 

જા ! એમ સાદ કરતીં કામબાય પાછળ જાય છે .


* સંચેલ ધન ચારણ તણા , જરશે નહીં જસા ,

અજરો રે અસા , લોઢું લાખણ શિયાડા !

ચમકપાણ લોહ ઓખદીં , પાનંગ વખ પરાં ,

અમરત ખાધે ન ઉતરે , ચારણ લોહીં બરાં !

[ આ તો ચારણ ના રૂપ નુ ધન એ તને નહીં પચે , 

આતો લોઢુ કહેવાય એનો તને અપચો થશે . લોઢુ ન 

જરે તો તેનીં ઔષધીં ચમકતો પથ્થર છે , સાપ ના 

વિષ નુ ઔષધ અમૃત છે , પરંતુ અમૃત ખાવાથીં પણ

જેનુ ઝેર ન ઊતરે તેવા બૂરા તો ચારણ ના લોહીં છે.]


ચંડીંકા સમીં ચારણીં શરીંર ના ટુકડા કરતીં ને સીંમાંડે 

લોહીં છાટતીં ચાલીં આવે છે . 

રાજા મોંમાં તરણું લઇને બોલ્યા , 

માતાજી મને પારકા એ ભુલવ્યો ! હવે ક્ષમાં કરો .

આઇ : '' હુ તને માંફ કરુ છુ , પણ એક વાત યાદ 

રાખજે : તારા મહેલ નીં ઓતરાદીં બારીં કદીં 

ઉઘાડીંશ નહીં ''


આ વાત ને બાર વર્ષ વિતીં ગયા , જામે બીંજા લગ્ન 

કર્યા , નવા રાણીં સાથે મહેલ માં બેઠા છે ,

રાણીં એ પુછીંયુ : ઓતરાદીં દિશા એથીં કેવીં 

દરિયાના પવન નીં લહેરો આવે છે . દરિયો રમણીંય 

દેખાય છે છતા એ બારીં શા માટે બંધ છે ?

રાજા : ચારણીં નીં મના છે . 

રાણીં : કેટલો વખત થયો ? 

રાજા : બાર વરસ 

રાણીં : બાર વરસે કાંઇ એનીં મનાઇ ને ગણકારવાનીં 

હોય ?

રાણીં ના આગ્રહ થીં બારીં ઊઘાડવામાં આવીં . 

સામેજ દરિયા નો વિશાળ ખારો પાટ વરસાદ ના જળ 

માં ડુબેલ પડીંયો હતો . ચોમાસા સિવાય એ ખારાપાટ 

માં જાંબુડા નો કેડો આવતો હતો . એજ કેડો અત્યારે 

પાણીં માં ડુબેલો હતો . આઘે આઘે પાણીં માં જાણે

આગ બળતીં હતીં , જામ લાખા એ રાણીં ને આંગળીં 

ચિંધીં કહ્યું જુઓ રાણીં પેલીં જગ્યા એ ભડકા બળે 

ત્યાં એ ચારણીં મરેલીં . ત્યાં તો રાજા નીં આંગળીં એ 

જ્વાળા ચોટીં . થોડીં વારમાં આંખુ અંગ સળગીં ગયુ . 

રાજા બળીં ને ખાખ થયો .


* ચારણ ને ચકમક તણીં , ઓછીં મ ગણ્યે આગ !

ટાઢીં હોય તાગ , તોયે લાગે લાખણ શિયાડ !

જૂનો રાફ ન છેડીંએ : જાગે કોક જડાગ ,

જાગીં જાડેજા સરે : કામઇ કાળો નાગ .


-'' ઝવેરચંદ મેઘાણીં ''