¤ આઇ કામબાઇ ¤
જાંબુડા ગામના ચારણો ઘોડાનીં સોદાગરીં કરતા આઢ
મહીંના દેશાવર ખેડીં ચોમાસું ઘરને આંગણે ગાળતા .
ચારણિયાણીં ઓ દુઝાણા રાખીંને ઘરનો વહેવાર ચલાવતીં . રામ સીંતા ના ગીંતો ગાતીં કે -
જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે
પરણે સીંતા ને શ્રીં રામ , આવે રાઘવ કુળ નીં જાન .
જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે
પરણે સીંતા ને શ્રીં રામ , આવે રાઘવ કુળ નીં જાન .
જામ તારૂ ! જાંબુડું રળિયામણું રે
જાબુડા ગામ માં કામબાઇ ચારણીંયાણીં વિષે લોકો
કહેતા કે '' આઇ તો ચોરાશીં લોબડયાળીં દેવીં ઓ
સાથે રાસ રમતીં , એટલે આઇ નીં આંખો રાતીંયુ
રહેતીં ''
કોઇ રાજ ચાકર આઇ નુ રૂપ નીંરખીં રાજા જામ
લાખા ને જાણ કરે છે. રાજા રાત્રે કામબાઇ ને ઘરે
આવે છે . આઇ આ જામ લાખો નગર નો ધણીં .
જામ ના આદર માંન કરો . આઇ કહે ખમ્મા બાપ .
રાજા સાથે આવેલ ચાકર ઓસરીં માં પડેલ ઢોલીંયો
ઢાળ્યો આને લાખા જામ ત્યા બેઠા . બેસીં ને જામે
આઇ ને '' ભાભીં '' કહીં પાણીં માંગ્યુ . '' ભાભીં ''
કહીં દૂધ માંગ્યુ . આઇ ને આ વેણ અંતર માં ઉતરીં
ગયુ . રાજા ને રૂવાડે રૂવાડે કામ પ્રગટ થયો છે . આઇ
ઢાંકેલ થારીં લય ને રાજા પાસે આવે છે .
'' લે બાપ ! તારે જે જોઇતું તું ઇ બધુ !'' કામળીં માં
ઢાંકેલ થાળીં આપે છે ।
રાજા ચમકીં ગયો ! ને બોલ્યો . શુ ........!
તારે જોઇતું તું ઇ બધુ ! કામબાઇ એ થાળીં ઉઘાડીં .
થાળીં માં કાપેલા બે થાનેલા જોયા .
રાજા આરરરર
આઇ ! હુ ભૂલ્યો ! ઘર ભૂલ્યો ! રાજા એ હાથ
જોડીંયા .
કામબાઇ હસવા લાગીં ... લે....લે....લે
* હું ભેણીં ને તું ભા , સગા ! આ જુનો સંબંધ .
કવચન કાછેલા ! કિયે અવગણે કાઢિયું !
[ હે રાજા ચારણીં એટલે બહેન ને તુ ક્ષત્રીંય એટલે
ભાઇ આદિ થીં ચાલ્યો આવતો આ સંબંધ . છતાં હે
કચ્છ માં થીં આવેલા ( કાછેલા ) જાડેજા રાજા . તે
ભાભીં એવુ કુવચન કેમ કહીંયુ .]
રાજા ભાગ્યો પાછળ ચારણીં , લેતો જા બાપ ! લેતો
જા ! એમ સાદ કરતીં કામબાય પાછળ જાય છે .
* સંચેલ ધન ચારણ તણા , જરશે નહીં જસા ,
અજરો રે અસા , લોઢું લાખણ શિયાડા !
ચમકપાણ લોહ ઓખદીં , પાનંગ વખ પરાં ,
અમરત ખાધે ન ઉતરે , ચારણ લોહીં બરાં !
[ આ તો ચારણ ના રૂપ નુ ધન એ તને નહીં પચે ,
આતો લોઢુ કહેવાય એનો તને અપચો થશે . લોઢુ ન
જરે તો તેનીં ઔષધીં ચમકતો પથ્થર છે , સાપ ના
વિષ નુ ઔષધ અમૃત છે , પરંતુ અમૃત ખાવાથીં પણ
જેનુ ઝેર ન ઊતરે તેવા બૂરા તો ચારણ ના લોહીં છે.]
ચંડીંકા સમીં ચારણીં શરીંર ના ટુકડા કરતીં ને સીંમાંડે
લોહીં છાટતીં ચાલીં આવે છે .
રાજા મોંમાં તરણું લઇને બોલ્યા ,
માતાજી મને પારકા એ ભુલવ્યો ! હવે ક્ષમાં કરો .
આઇ : '' હુ તને માંફ કરુ છુ , પણ એક વાત યાદ
રાખજે : તારા મહેલ નીં ઓતરાદીં બારીં કદીં
ઉઘાડીંશ નહીં ''
આ વાત ને બાર વર્ષ વિતીં ગયા , જામે બીંજા લગ્ન
કર્યા , નવા રાણીં સાથે મહેલ માં બેઠા છે ,
રાણીં એ પુછીંયુ : ઓતરાદીં દિશા એથીં કેવીં
દરિયાના પવન નીં લહેરો આવે છે . દરિયો રમણીંય
દેખાય છે છતા એ બારીં શા માટે બંધ છે ?
રાજા : ચારણીં નીં મના છે .
રાણીં : કેટલો વખત થયો ?
રાજા : બાર વરસ
રાણીં : બાર વરસે કાંઇ એનીં મનાઇ ને ગણકારવાનીં
હોય ?
રાણીં ના આગ્રહ થીં બારીં ઊઘાડવામાં આવીં .
સામેજ દરિયા નો વિશાળ ખારો પાટ વરસાદ ના જળ
માં ડુબેલ પડીંયો હતો . ચોમાસા સિવાય એ ખારાપાટ
માં જાંબુડા નો કેડો આવતો હતો . એજ કેડો અત્યારે
પાણીં માં ડુબેલો હતો . આઘે આઘે પાણીં માં જાણે
આગ બળતીં હતીં , જામ લાખા એ રાણીં ને આંગળીં
ચિંધીં કહ્યું જુઓ રાણીં પેલીં જગ્યા એ ભડકા બળે
ત્યાં એ ચારણીં મરેલીં . ત્યાં તો રાજા નીં આંગળીં એ
જ્વાળા ચોટીં . થોડીં વારમાં આંખુ અંગ સળગીં ગયુ .
રાજા બળીં ને ખાખ થયો .
* ચારણ ને ચકમક તણીં , ઓછીં મ ગણ્યે આગ !
ટાઢીં હોય તાગ , તોયે લાગે લાખણ શિયાડ !
જૂનો રાફ ન છેડીંએ : જાગે કોક જડાગ ,
જાગીં જાડેજા સરે : કામઇ કાળો નાગ .
-'' ઝવેરચંદ મેઘાણીં ''
0 Comments
Post a Comment