ગુજરાત નો રક્ષક" (ભાગ - ૧)

'સર્વેશ્વર' 


મહામંડલેશ્વર 1008 લવણપ્રસાદ દેવ 

(ઇ.સ. 1152 થી ઇ.સ. 1242)

-----------------------------------------------

મહામંડલેશ્વર 1008 લવણપ્રસાદ દેવ


"આથમતા સૂકાળનો, (તે) ભાલે ભરાવ્યો ભાણ;

ધવલગઢ કેરા રાણ, (તુને) લખવંદુ લવણપ્રસાદજી."

--- અજાન. 

ભાવાર્થ: ગુજરાતના સુવર્ણકાળ રૂપી સૂર્ય અથમવા જઈ રહ્યો હતો ત્યારે હે ધોળકા (ધવલગઢ) રાણા તમે પોતાના બહુબલ અને પરાક્રમ રૂપી પ્રિય શસ્ત્ર ભાલાથી જાણે એ સૂર્યને આથમતો રોકવા ત્યાંને ત્યાંજ જડી દીધો એવા પૂર્વજ લવણપ્રસાદજીને અજાનના લાખો વંદન છે... 


ધોળકાના મહામંડલેશ્વર અર્ણોરાજ અને મહારાણીની કુખે લુણીનદીના કિનારે વિહાર દરમિયાન લવણપ્રસાદજીનો જન્મ અંદાજીત ઇ.સ.1152માં થયો હોવાનું અનુમાન છે. લુણીનદી ના કિનારે જન્મ થયો હોવાથી લુણીનો પ્રસાદ માની લવણપ્રસાદદેવ નામ રખાયું.


વિદેશી આક્રાતાઓ એ આ મહાન વ્યક્તિત્વોની કીર્તિ નષ્ટ કરવાના પૂરતા પ્રયત્ન રૂપે એમના શિલાલેખો, અભિલેખો, સ્થાપત્યો નષ્ટ કરવામાં કોઈ કસર બાકી રાખી નહીં પણ અફસોસ તો એ વાતનો છે કે અમુક આપડા જ ઇતિહાસકારોએ આવા મહાન પાત્રો સાથે ખૂબ અન્યાય કર્યો છે, અમુક લેખકોએ આ મહાન રાજા કરતા એમના મંત્રીઓને મહાન બતાવ્યા, ધર્મ,જાતિવાદ પણ આવા મહાન પાત્રોની ઉપેક્ષા પાછળ કારણ ભૂત હોઈ શકે, અને એ પછીનો ઇતિહાસ એ જે લખી ગયા એ ઇતિહાસકારોનું જાણે થુકેલું ચાટનારાઓ નો કોપીપેસ્ટ ઇતિહાસ દા. ત. ઝવેરચંદ મેઘાણીનું 'ગુજરાતનો જય', પણ આવા વિરોની કીર્તિ એવી હતી કે અભિલેખો, તામ્રપત્રો, દાનપત્રોના ઉલ્લેખોનો આધાર લેવા આ વિરોનો કીર્તિવંત ઇતિહાસ ઉલેખિત કરવો પડ્યો હશે. આ મહાન યોદ્ધાવિષે ઇ.સ.1896માં જેમ્સ મેકનોબ કેમ્પબેઇલ દ્વારા સંપાદિત ગુજરાત ગેઝેટીયરનું 'હિસ્ટ્રી ઓફ ગુજરાત'ના પાર્ટ-3 માં "the Vaghelas",  ક.માં. મુન્શીનું 'ધ ગ્લોરી ઓફ ગુજરાતદેશા', અઢળક જૈન પ્રબંધો, સહિત અસંખ્ય સાહિત્ય સાથે ગુણવંતરાય આચાર્યની ઐતિહાસિક નવલ 'સર્વેશ્વર' તો છે જ પણ સોમેશ્વર કૃત 'કીર્તિ કૌંમૂદી' અને વિશેષ જયસિંહસુરી દ્વારા રચિત 'હમ્મીર-મદ-મર્દન' મહાકાવ્ય આ ગુજરાતના રખેવાળ પિતા -પુત્ર લવણપ્રસાદદેવ અને વીરધવલ વિશે લખાયું છે, સિવાય ઘણા બધા આધારો છતાં અફસોસ આ ગુજરાતના રક્ષક મહાન યોદ્ધાઓના ઇતિહાસ પર પ્રકાશ ન પડયો. ઉપર જણાવ્યા મુજબના આધારોના અભ્યાસ બાદ આ શૌર્યવાન મારા પૂર્વજ છે એટલે જ નઈ પણ એક મહાન ઐતિહાસિક પાત્રને થોડો ન્યાય અપાવવા હકીકતનો નિચોડ રજું કરું છું . 

           

 વ્યઘ્રદેવના ચોથા નંબરના પુત્ર સુરતદેવ ગુજરાત આવ્યા ત્યારે મહારાજ દુર્લભરાજ દ્વારા ફટાય ભાગે ભીમપલ્લી સહિત 10 ગામ જીવાયમાં આપ્યાં વ્યઘ્રદેવના પુત્રના અધિકારમાં હોઈ ભીમપલ્લી વ્યઘ્રપલ્લી તરીકે ઓળખવા લાગયું સમયાંતરે વાઘેલ ગામ તરીકે હાલમાં પણ હર્યુંભર્યું ગામ છે, આમ મહારાજ દુર્લભરાજ થી સમ્રાટ સિદ્ધરાજ સુધી વાઘેલાઓ પાટણના વ્યઘ્રવલ્લી સ્થિત મંડલિક એટલે કે મંડલેશ્વર હતા પણ મંડળેશ્વર અનકદેવના પુત્ર અર્ણોરાજ અને સમ્રાટ મહારાજ કુમારપાળ માસિયા ભાયું હોઈ કુમારપાળે ધોળકાનું મહા મંડળ આપી અર્ણોરાજને મહામંડલેશ્વર સ્થાપ્યા જેના પુત્ર તરીકે લવણપ્રસાદ નામના મહાપરાક્રમી યોદ્ધાનું અવતરણ થયું. આ લવરમુછીયા યુવાન નું શૌર્યતો જગતે ત્યારે જોયું જ્યારે મોહમ્મદ ઘોરીએ વિશાલ સૈન્ય સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, રાજમાતા નાયિકાદેવીના પુત્ર બાળ મૂળરાજના શાશનમાં ઇ.સ.1178 માં આબુનો મહાભયંકર સંગ્રામ ખેલાયો જેની નોંધ માત્ર ગુજરાતનાં ઇતિહાસે જ નઈ પણ ભારતના ઇતિહાસે લીઘી(પણ શું કારણ હશે કે જે મહમ્મદ ઘોરી એ મુસ્લિમ શાશનનો પાયો ગુજરાતમાં નાખ્યો એવા અત્યન્ત બળશાલી અને ક્રૂર શત્રુને હરાવી રાષ્ટ્રની રક્ષા કરનાર આ વિરોના આ ભવ્ય ઇતિહાસને જોઈ એવો ઉજાગર કરવામાં ન આવ્યો??) આ યુદ્ધના ખરા નાયક હતા લવણપ્રસાદ મહામંડલેશ્વર કે જેમણે તરકડાને જોતા અખોમાં ક્રોધના અંગાર ભરી બે હાથમાં આયુધ ધરી ક્ષત્રિય કુળ દિપાવતા રણસંગ્રામમાં તરકડાનો એવો તે સહાર કર્યો કે લાખોનું સૈન્ય એક દિવસમાં પહાડોની કોતરોમાં આમતેમ ભાગવા લાગ્યું મુહોમ્મદ ઘોરીને પકડી જ્યારે રાજમાતા નાયિકદેવીના ચારણોમાં જુકાવવામાં આવ્યો ત્યારે ઘોરીની ગરદન પર જે સમશેર હતી એ ("હમ્મીર મર્દન" મહાકાવ્ય મુજબ અને સવંત. 1311ની ડભોઇ પ્રશસ્તિ/શિલાલેખ મુજબ) મહામંડલેશ્વર લાવણપ્રસાદજીની જ હતી. પણ એ ઘોરીને બંદી બનાવી લઈ દીપાવલીના ઉત્સવ દરમિયાન અન્ય કેદીઓ સાથે છોડી મુકાયો જે ભારતના ઇતિહાસની ભયંકર ભૂલ સાબિત થઈ, આવા મહાન યોદ્ધાનું અદ્વિતીય પરાક્રમ જોઈ મહારાજાધિરાજ ભીમદેવ દ્વિતીય જ્યારે ગાદીપર બેઠા ત્યારે લવણપ્રસાદજી મહામંડલેશ્વરને રાણા અને ગુજરાતના રક્ષક તરીકે 'સર્વેશ્વર' કહી નીમ્યા. અને એમના નવજાત રાજકુમાર વિરધવલને ગુજરાતના યુવરાજ ઘોષિત કર્યા. પણ ઇર્ષાળુઓ અને રાજના કાવાદાવાથી બચાવવા વીરધવલ અને રાણી મદરાગણીને ગુપ્ત રીતે પોતાના બહેન અને બનેવી દેવરાજ ચૌહાણ(પટ્ટકીલ)ને ત્યાં મોકલી દીધાં, (પોતે પ્રખર શિવ ઉપાસક હોઈ અન્ય ધર્મના લેખકો એ એમના ઇતિહાસને ખૂબ જ વિચિત્ર ચિતર્ય ો હોવાનું સ્પષ્ટ જણાય છે એમ મુન્શીજી નોંધે છે.) અને આ મહામાનવે પોતાને આજીવન ગુજરાતનો સેવક કહી પોતાનો પુત્ર આજીવન ગુજરાતની ગાદી પર નહીં બેસે અને ગુજરાતના સિંહાસનની રક્ષા કરશે એવું વ્રત લીધું અને પાળ્યું જીવ્યા ત્યાંસુધી, ગુજરાતની ગાદીપર વિરધવલ ને બદલે ત્રિભુવનપાળને બેસાડી ભીષ્મની જેમ ગુજરાતના સેવક રક્ષક બની રહ્યા, ધારે તો પોતે ગુજરાતના સિંહાસન પર બેસી શક્યાં હોત પણ ક્ષાત્રગુણે સિંહાસનને વફાદાર રહ્યા, પોતાના 90 વર્ષના જીવન કાળ દરમિયાન અસંખ્ય યુધ્ધો લડ્યા એમ નું એક યુદ્ધ ગુજરાત-અજમેરનું હતું આ યુદ્ધમાં અનુભવી વીર લાવણપ્રસાદે કાળો કેર વર્તાવ્યો અને સમરંગણમાં સોમેશ્વરચૌહાણનું શીશ ધડથી અલગ કરી ગુજરાતનો દિગ્વિજય કર્યો (ચંદ બરદાઈ દ્વારા એવું લખવામાં આવ્યું છે કે બાદમાં પિતાનો બદલો લેવા પૃથ્વીરાજ ચૌહાણે ગુજરાત પર આક્રમણ કરી ભીમદેવ અને લવણપ્રસાદ નો વધ કર્યો, પણ તરાઈ ના દ્વિતીય યુદ્ધ ઇ.સ. 1192 બાદ પણ ભીમદેવ અને લવણપ્રસાદ બંને જીવતા હોવાના પ્રખર પુરાવા સાથેનો ઇતિહાસ મોજુદ છે), એમના જીવનનું ચોથું મહા ભયંકર યુદ્ધ એમણે પોતાના પુત્ર વીરધવલ સાથે મળી ત્યારે ખેલ્યું જ્યારે પોતાનું 'રાજલક્ષ્મી સ્વપ્ન' પૂર્ણ કરવા મહાવીર વીરધવલ ઉપરવટ પર પલાણ માંડી સૌરાષ્ટ્રના સ્વતંત્ર થવાના સપના સેવતા મંડલિકોને દંડવા દિગ્વિજયે નીકળ્યા હતા.


એ સમયનો લાભલઈ દક્ષિણ સ્થિત દેવગીરીના યાદવ સિંઘણે વિશાલ સેના સાથે ગુજરાત પર આક્રમણ કર્યું, સામે લવણપ્રસાદજી અને વીરધવલ વિશાલ સેના લઈ ને ગયા, એમની સાથે યુદ્ધમાં રોકાયા હતા એ પરિસ્થિતિનો લાભલઈ પાંચ મારવાડી રાજાઓ કે જે ગુજરાતના મંડલિક હતા એમણે સ્વતંત્ર થવાની લાલચે વિદ્રોહ કરી દીધો, એમા

1. જાલોરના ઉદયસિંહ ચૌહાણ, 2. આબુના સામંતસિંહ, 3. ગોડવાડના ધાંધલદેવ, 4. મેવાડના રાણક જેત્રસિંહ, અને 5. લાટનો મંડલિક શંખ હતા. પણ આ પિતા-પુત્ર એ સાત દિશાએથી થયેલ આક્રમણ સામે એવું તે યુદ્ધ કર્યું કે સિંધણ પોતાના સૈન્યની ખુવારી જોઈ સંધિ કરવા મજબૂર થયો અને તેને વીરધવલે  સિંધણને ગુજરાતનો મંડલિક નિમ્યો, એથી ઓલ્યા પાંચ મારવાડી રાજાઓ યુદ્ધ છોડી ભાગ્યા અને પાછા આવ્યા નહીં એના વિશે સોમેશ્વર નોંધે છે કે "સિંહ ન હોય તો પણ જે સિંહ નો રસ્તો હોય ત્યાં હરણો પાછા ફરકવાની હિમ્મત કરતા નથી."

 

આમ આવા બળિયા શત્રુઓ પર વિજય મેળવી ગુજરાતના સીમાડા વધારનાર અને આજીવન એની રક્ષા કરનાર આ મહાવીર લવણપ્રસાદ દેવ (મોટી ઉંમરે વીરધવલના કૈલાશવાસ બાદ) અંદાજીત 100 વર્ષની ઉંમરે સન્યાસ લઈ શિવભક્તિમાં લિન પોતાના દેહનો ત્યાગ કર્યો.


લિખિતન : વાઘેલા ધર્મરાજસિંહ જે. (છબાસર).