▪️ આજે નાગપંચમી 

Charani sahitya



▪️ કહેવાય છે કે, આ બ્રહમાંડમા આપણી પૃથ્વી શેષના મસ્તક પર ઠહેરેલી છે. શેષ મહારાજ એટલે નાગદેવોના અધિપતિ. જો શેષનાગ પૃથ્વીને આ અનંત અને વૈરાટ બ્રહમાંડમા સરિ જતા ન અટકાવી હોત તો આપણી પૃથ્વી હાલ જે સ્વરુપમા છે તેમ ના હોત. 


▪️ઉતર ગુજરાતમા તો દરેક ગામમા નાગદેવતાના મંદિરો છે અને લોકો બહુજ ભાવથી તેમની પુજા અર્ચના કરતા હોય છે. 


▪️ નાગોની અનેક જાતિ પ્રજાતિ હોય છે. દેવ વર્ગનો નાગ હાલના સમયે પણ આપણા માટે બહુજ શુભ ફળ આપનાર હોય છે. 


▪️ચારણોને તો આમેંય નાગપક્ષથી દિવ્ય નાતો રહ્યો છે. ચારણોના જીન્સમા નાગકુળના સંસ્કાર પણ રહેલા છે. સ્વર્ગથી ધરતી પર આગમન પછી ચારણનુ લગ્ન નાગકન્યા સાથે થાય છે અને તે જ દિવ્ય દંપતિના સંતાનો છે સમગ્ર ચારણ જાત. 


▪️ ચાલો નાગપંચમીના પુનિત દિવસ પર આપણે ચારણો નનિહાલ પક્ષને યાદ કરીએ અને નાગમહારાજના આશિર્વાદ મેળવીએ.. 


- દશરથદાન ગઢવી