વિર પુરુષ : શંભુજી સોલંકી

વિર પુરુષ : શંભુજી સોલંકી


______________________


        દિવાળીનું ટાકણું છે!ખેડુ હજી પાળવાના રામ રામ કરી અને પોતાના ખેતરોમાં ખરા લેવા માટે ઉતાવળા થઈ રહ્યા છે.ઉતામરે પગે ગામમાં રામ રામ કરી સૌ કોઈ વાળી બાજુ ઉપડી ગયા છે.આ વખતે ગામમાં તલનું પુષ્કળ વાવેતર અને સૌ ખેડુ ને તલ સારા એવા થયેલ છે.

     કચ્છ જીલ્લાનું ભીમાસર ગામ એ પલાસવાની હદમાં વસેલું અને કોઈને કર પણ આપતું નહિ એટલે પલાસવા અને ભીમાસર વચ્ચે અવારનવાર વારુ(વાર એટલે કે ધીંગાણું) ચડતી અને અસંખ્ય લોકોની ખુમારી થતી.

વિર પુરુષ : શંભુજી સોલંકી


   બરોબર રોટલા ટાણું થયેલું સૌ કોઈ વાળી એ ખરા લેવા માટે નીકળી ગયેલ શંભુજી સોલંકી ની ડેલીએ રાજપુતી ડાયરો હજી કહુંબાની અજળીયો લઈ રહ્યો છે.એક બીજા એક બીજાને ગળાના હમ દઈ દઈ ને પરાણે કહુંબો દઈ રહા છે. ત્યાં તો એક વ્યક્તિ મારતે ઘોડે ડાયરોમાં આવ્યો એને કહું બાપુ ગજબ થયો પલાસવા જાગીરના માણસો આપણા ગામના ખેડૂતો ને મારી અને ખરામાંથી તલના ગાડા ભરી રહ્યા છે. ડાહ્યાહરી ધાર બાજુ દોઢસોક માણસની વાર હાલી આવે છે.


     શંભુજી સોલંકી બધા રાજપૂતો એ વારનો જવાબ દેવા માટે જલદી થી ડાહ્યાહરી ધારે આવવા જણાવ્યું અને પોતે એજ ક્ષણે પોતાની ઘોડી ઉપર સવાર થઈ વારનો સામનો કરવા નીકળી પડ્યા અને પાછળ થી ભીમાસરના પચીસ જણા જુવાનિયા પહોંચી આવ્યા ડાહ્યાહરી ધારની નીચે જબર ધીંગાણું જામ્યું શંભુજી એ પોતાનું મસ્તક ધડથી અલગ થઈ જવા છતાં સામેની વારના એકશોને વિસ માણસ માર્યા બપોર શુધી ધીંગાણું હાલ્યું પલાસવાના બધા સૈનિકો મરાણા અને ભીમાસરના પણ રાજપૂતો બધા કામ આવ્યા શંભુજી એ અપૂર્વ વીરતા બતાવી અને સામેની વારમાં કચરઘાણ વારી નાખ્યો શંભુજી સોલંકી એ હનુમાનજી મહારાજનો પ્યાલો પીધેલ એટલે આજ પણ લોકો હનુમાનજી તરીકે પૂજે છે.

    સાંજ ટાણું થવા આવ્યું હવે જે પલાસવાના સૈનિકો મરાણા એમના માથા પલાસવા કોણ પોહચાડે ત્યારે ગામમાં બીડું ફેરવવામાં આવ્યું પણ પણ બીડું કોણ ઉપાડે કેમ કે મોતના મુખમાં હાથ કોણ નાખે ત્યારે ગામના ગામોટ મારાજે બીડું ઝડપ્યું અને માણસોના માથાંનો ઝાકડો(ગાડું)ભર્યો અને પલાસવા દરબાર ગઢમાં જઈને કીધું કે લ્યો તમારા કારીયા તલાનો ભોગ.

સંત શુરા અને સતીઓ


     દરબારે કીધું કે આ માથાનો ફરેલ કોણ છે અને આને અહીંયા જ ઝાટકે દયો દરબાર હું તો બ્રાહ્મણ સુ અને તમારે વેર લેવું હોય તો હાલો ભીમાસર બાકી બ્રાહ્મણના દીકરાને માર્યે જશ નઈ ગવાય ત્યારે બ્રાહ્મણ સમજી મારાજ ને જવા દીધા પણ પલાસવા ગામના માણસો એ એમને ગામના પાધરમાં પાછળથી માર્યા.

     જે જગ્યા એ આ ધીંગાણું થયું ત્યાં આજ પણ ગૌચર જમીન તેમજ શંભુજી દાદાની ખાંભી આવેલી છે. 

    આવા કંઇક શુરવીરોને લીધે આજ પણ ભીમાસર અણનમ ઉભું છે.


 ✍️ નરેશસિંહજી ગોહિલ (વાગડ)
       Mo.9586443803