વિર ઝીંઝા આપા આભીર (ભરવાડ)
દુહો:-ઝિંઝા_તારો_આશરો__અફર_નો_ગિયો_જગમાય અણ_પટ્ટણપતી_એ__તોરો_પગ_પખારી_ઝીંઝુવાડા_ગઢ_માય
અણહીલપુરપાટણ પતિ ભીમદેવ ના પુત્ર કર્ણદેવ સોલંકી ને જોઈ ને મોહીત થયેલી ચંદ્રપુર(કર્ણાટક) ના રાજા જયકેશરી ની દીકરી મીનળદેવી એ તેની સાથે લગ્ન કરવાની હઠ પકડતા અને જુનાગઢ ના આભીર રાજા રા ખેંગાર પહેલાની કુંવરી અને રાજમાતા ના દબાણ હેઠળ પોતાને ન ગમતી હોવા છતા કર્ણદેવે મિનળદેવી સાથે લગ્ન કર્યા.
લગ્ન પછી કર્ણદેવ સોલંકી નવી રાણી મીનળદેવી ની ઉપેક્ષા કરતા. રાજમંત્રી મુજાલમહેતાએ રાજમાતા ઉદયમતી ના કહેવાથી પોતાની પ્રેયસીની જગ્યાએ મીનળદેવી ને ગોઠવી દેતા તે ગર્ભવતી બન્યા હતા.
પરંતુ રાજ ખટપટ અને અન્ય રાણીઓ મા ઈર્ષ્યા નુ કારણ બનેલા મીનળદેવી ને રાજ મા રહેવા નુ કપરુ પડ્યુ હતુ.કર્ણદેવે ઉપેક્ષા ચાલુ રાખતા રાજમાતા ના કહેવા થી મંત્રી મુંજાલ મહેતાએ મીનળદેવી ને રાજમાતા ના મોસાળ જુનાગઢ ઝીંઝા લાબરીયા આભિર (ભરવાડ)ના નેસડા મા મોકલી આપે છે.વિશાળ નેસડો બાંધી પાટણ અને કચ્છ અને સૌરાષ્ટ્ર ને ત્રીભેટે રણકાંઠે પશુધન સાથે રહેતા આ આભિર (ભરવાડ) ના આશરે રાણી નુ મોસાળ મા સલામત સમજી રાણી ની પ્રસવની વ્યવસ્થા માટે મોકલી આપે છે.
ઝીંઝા આભિર (ભરવાડે) મીનળદેવી ની પુરતી સાર સંભાળ અને પુરતા રક્ષણ વચ્ચે મેલી વિદ્યાઓ વિરુદ્ધ યુક્તિઓ આચરી ને રાણી નો પ્રસવ કરાવતા સિદ્ધરાજ જયસિંહ નો જન્મ થયો હતો.
સમય જતા અણહીલપુર પાટણ મા સિદ્ધરાજ જયસિંહ ગાદી પતી થતા જ પોતાની જન્મ ભુમી રુપી ઝીંઝા આભિર ના નેસડા ને ભરવાડો ના રુણ માથી મુક્ત થવા તેની કાયમી યાદ રુપે ઝીંઝુવાડા (તા.દસાડા) નો કીલ્લો બંધાવી ઝીંઝા લાબરીયા આભિર ભરવાડ ના નામ પરથી ગામ વસાવ્યુ હતુ. આજે પણ ઝીંઝુવાડા નો કીલ્લો તેના ભવ્ય ભુતકાળ ની યાદ આપતો જોવા મળે છે.
(આભિર ગોપ)ભરવાડો નો આશરા ધર્મ એ ભગવાન કૃષ્ણ ના કાળ થી જ છે.
આજે પણ ઝીંઝુવાડા મા ઝીંઝા લાબરીયા (ભરવાડ) ની ખાંભી હયાત છે. જેમણે અનેક આક્રમણ કારીઓ સાથે આભિરો ના ગઢ ને બચાવવા બાથ ભીડી હતી.
સાક્ષાત શક્તિ માએ આપેલ તલવાર (ભવાની) એમના કાંડે આવતાજ યવનો ના કચ્ચર ઘાણ વળી જતા હતા..ગઢ ને બચાવવા આખરે લડતા લડતા તે વીરગતી પામ્યા હતા.
⚔જય હો વીર ઝીંઝાબાપા લાબરીયા આભિર (ભરવાડ)⚔
જય_હો_ગોપ
⚜શ્રી_યદુવંશી_ભરવાડ_સમાજ⚜
0 Comments
Post a Comment