હોળી ની શુભકામના ન હોય, ધુળેટી ની હોય, હોળી અસત્ય છે :



આજે સમગ્ર ભારત ની અંદર સોશીયલ મીડિયા ઊપર એક મેસેજ આવે કે હોળી ની શુભકામના..


અને એનો ઇતિહાસ બધાને ખ્યાલ જ હશે. કે હોલિકા બળી જાય છે અને પ્રહલાદ એમાંથી બચી જાય છે. એટલે સત્ય બચી જાય છે, અને અસત્ય બળી જાય છે. 


તો બીજે દિવસે પ્રહલાદ જે આમાંથી બચી જાય છે એટલે ધર્મનો વિજય થાય છે એટલે હોળી નાં બીજા દિવસે રંગ ઉત્સવ મનાવીએ છિએ. 


પૂજ્ય ઈન્દ્રભારતી બાપુ પણ આ વાત જણાવે છે કે આ જે શુભકામના છે, એ હોળીની ન હોય, ધુળેટી ની હોય.. 


અને હોળી જ્યારે પ્રગટાવવામાં આવે ત્યારે એના ઊપર એક ધર્મ-ધજા રાખવામા આવે છે, એ ધર્મ-ધજા નો મતલબ જ આ છે કે ધર્મ બચી જાય અને અસત્ય (હોળી) બળી જાય એટલે ધર્મ નો વિજય થાય, અને અસત્ય નો નાશ થાય. 


એટલે જ્યારે હોળી પ્રગટાવો ત્યારે એના ઊપર ધજા છે એ ધજા ને કોઈ બાળતા નહીં, હોળી ને પ્રગટાવિને તરત જ એ ધજા ને કાઢી લેવાની..


એટલે હોળી ની શુભકામના ન હોય,

રંગઉત્સવ (ધુળેટી) ની શુભકામના હોય...


પક્ષ મારે પ્રહલાદનો, આનંદ ના હોય આજ;

રંગ તો અમારો રાજ, જામે કાલે જોગડા.


જો કઈ ભૂલચૂક લાગે તો તમારો અભિપ્રાય જણાવજો.. આભાર