શેણબાઇ માં ના જીવનનુ તથ્ય.
*શેણી વિંજાણંદના જીવન કવન પર અનેક કથાઓ, દંતકથાઓ, નાટકો અને ફિલ્મો નિર્માણ પામી છે. આ બધાં સાહિત્યમાં આઇ શેણલ માંના વાસ્તવિક ચરિત્રની કોઇ વાત પણ નથી થઈ. નિપટ જુઠ આ સાહિત્ય પ્રકારોમા નિરુપિત થયા છે.*
*વાસ્તવિકતા તો એ છે કે, શેણલમા જોગમાયા છે, તેઓ તરુણા અવસ્થામાં જ આ સાંસારિક ગતિવિધિઓથી વિમુખ બન્યા હતાં તેમજ અષ્ટાંગ યોગને પોતાના જીવનમાં પુર્ણ રીતે વણી લીધું હતું.*
*કહેવાય છે કે એક વખત શેણલ બાઇ પાસે વિજાણંદે પાણી માંગ્યું હતું ત્યારે શેણબાઇએ તેને પાણી પણ નતું આપ્યું. તે સમયે શેણબાઇ માં ને વિજાણંદ પર નફરત થયેલી.*
*આઇ શેણલ મા યોગ ભક્તિના માર્ગે હોવાથી તેમને વિજાણંદના જંતરના સુર બહુજ ગમતા હતાં. જંતર વગાડવાની દિવ્ય કળાને કારણ શેણબાઇ માં ને પણ વિજાણંદ પ્રત્યે માન હતું, તે સિવાય માતાજીને વિજાણંદ માટે કોઇ લૌકિક આકર્ષણ ન હતું.*
*વિજાણંદ જંતર નામના વાદ્ય વગાડવામા નિર્પુણ હતો. તેના ટેરવા જંતરના તાર પર પડતાં જ તે વાંજીત્ર જીવંત થઇ ઉઠતું. તેના દરેક તાર માંથી અલૌકિક સંગીત વહેવા માંડતું.*
*આ સંગીતના કારણે જ શેણબાઇ માંના પિતા વેદા ચારણે વિજાણંદને પોતાની પાસે કામ પર રાખ્યો હતો. એક વખત વિજાણંદના જંતરથી મુગ્ધ બની વેદા ચારણે વિજાણંદને કંઇક માંગવા કહ્યું. ત્યારે વિજાણંદે શેણબાઇનો હાથ માંગ્યો..*
*વેદા ચારણને આવી કલ્પના પણ ન હતી. તેમને ખબર હતી કે તેમની દિકરી તો અસાધારણ બાઇ છે, તે સંસારથી નીરસ અને દૈવિય પથ ગામી છે. તેમણે આ વાતથી વિઝાણંદને ટાળવા અને પોતાનું વચન પાળવા, વિજાણંદને સો નવ ચાંદરી ભેંસો લાવે તો શેણબાઇનો હાથ તને આપું, એવું કહ્યું હતું.*
*વિજાણંદ વેદા ચારણ પાસેથી રજા લઈ ભેંસો મેળવવા નીકળી ગયો. આ વિજાણંદનુ આમ અચાનક જવાનુ શેણબાઇને ગમ્યું નહીં. શેણબાઇને બીજી કોઇ વાતની ખબર પણ ન હતી.*
*વિજાણંદનુ નામ શેણબાઇ સાથે જોડાતા આ વાત વહેતી થઈ અને તુંડે તુંડે ભીન્ન મતિ એમ ઘણાં બધા લોકો દ્વારા તથ્ય જાણ્યા વિના માતાજીના જીવનને સાંસારિક ક્ષુલક પ્રેમ સાથે સરખાવી દેવામા આવ્યો.*
*તથ્ય એજ છે કે શેણબાઇ માં જોગમાયાનો અવતાર હતાં. તેઓ હિમાળે હાડ ગાળવા નીકળ્યા ત્યારે જ્યાં જ્યાં તેમણે વિશ્રામ કરેલો તે તમામ જગ્યાઓ પર તેમણે અસાધારણ પરચાઓ આપ્યા હતાં. આજે પણ તે સ્થાનો પાવન તીર્થધામ બની કરોડો લોકોને જીવનના તમામ સુખ આપી રહ્યા છે.*
*શેણરબાઇનુ જીવન એક ઐતિહાસિક ચારણી ચરિત્ર છે. શેણલબાઇના પિતાનું નામ વેદા ચારણ હતું. નેચડા શાખાના વેદા ચારણનું વતન વેકરા ગામ છે. વેદાજીનુ મુળ વતન તો રાજકોટની પૂર્વ દિશામાં આવેલ ગોરવિયાળા છે.*
*આમ, શેણબાઇ માં એ જોગમાયાનો અવતાર હતા. લોકોએ એમની મતિ મુજબ માતાજીના નામની કથા, કાવ્યો વહેતા કરીને માતાજીના મુળ ચરિત્રને ઢાંકી દિધો હતો. ઇ. સ. ૧૨૯૭ સમયે શેણલમાં આ ધરતી પર પોતાની જીવની જીવી ગયા હતાં.*
*એક તો ચારણની દિકરી અને તે પણ બ્રહ્મ-ચારિણી અને યોગ-ગામિની, તેમનું નામ લૌકિક વ્યવહારે જોડાંતા માતાજીએ હિમાળે હાડ ગાળવાનુ નક્કી કર્યું હતું.*
- દશરથદાન ગઢવી
0 Comments
Post a Comment