સનાતન ઘર્મના વૈદિક અને પૌરાણિક શાસ્ત્રોમાં પૂજા-પાઠ સબંધિત અનેક નિર્દેશ આપેલ છે. ઘણા લોકો એવા હોય છે જેઓ સવારે પહેલા ઉઠીને પ્રભુના દર્શન કરતા હોય છે. પણ શું તમે જાણો છો આપણે ઘરમાં ભગવાનની બધા પ્રકારની મૂર્તિઓ ન રાખી શકીએ. ભગવાનની અમુક એવી મૂર્તિઓ હોય છે જેણે ઘરમાં રાખવાથી સુખ નહિ પણ દુઃખ આવે છે.
![]() |
Play video |
બધા લોકોના ઘરમાં ભગવાનની મૂર્તિઓ હોય છે. તેમાંથી અમુક મૂર્તિઓ અશુભ સંકેત આપતી હોય છે, જેમના દર્શન કરવા સારૂ નથી માનવામાં આવતું.
ઘરમાં ભગવાનની મૂર્તિઓ એવી રીતે રાખવી જોઈએ કે તેમની પાછળનો ભાગ એટલેકે પીઠ ન દેખાય. ભગવાનની પીઠને જોવી અશુભ માનવામાં આવે છે. ઘણી વખત આપણે ઘરની સફાઈ કરતા હોઈએ ત્યારે મૂર્તિની દિશા બદલાતા ભગવાનની પીઠ ન દેખાય તેનું ઘ્યાનમાં રાખવું.
પૂજા સ્થળમાં એક જ ભગવાનની બે મૂર્તિઓ રાખવી સારું ન મનાય. અને એમાં પણ બે મૂર્તિઓને એકસામે ન મુકવી. આવી મૂર્તિઓના દર્શન કરવાથી ઘરમાં કલેશ અને ઝધડાઓ થાય છે.
ઘણીવાર લોકો ઘરમાં ખંડિત મૂર્તિઓ રાખતા હોય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ખંડિત મૂર્તિઓ ક્યારેય ન રાખવી. આ અશુભ સંકેત આપે છે. આવી મૂર્તિઓનું પૂજન કરવાથી કઈ ફળ નથી મળતું. ખંડિત મૂર્તિઓને કોઈ વૃક્ષ નીચે મૂકી દેવી જોઈએ.
મંદિરમાં એવી કોઈ પણ મૂર્તિઓ ન રાખવી કે જેમાં દેવતાઓ યુદ્ધ કરી રહ્યા હોય. આની અસર માનવી પર ખરાબ પડે છે. આનાથી વ્યક્તિ ચીડચીડો અને ગુસ્સાવાળો બની જાય છે.
ભગવાન શિવની મૂર્તિ દેવી સતી સાથે રોદ્રરૂપમાં વિલાસ કરતી મૂર્તિઓ ઓફીસ કે ઘરમાં ન રાખવી. હિંદુ ધર્મમાં આને અશુભ માનવામાં આવે છે. ભગવાન હસતા હોય તેવી સૌમ્યતા વાળી મૂર્તિઓ જ ઘરમાં રાખવી અને તેમના દર્શન કરવા.
0 Comments
Post a Comment