મદિરાપાન પાન કરનાર ભેરવનું મંદિર તો વિશ્વમાં પ્રસિદ્ધ છે. આની સાથે એક દેવી મંદિર એવું પણ છે કે જ્યાં દેવી ભક્તો દ્વારા ચઢાવેલ મદિરાનું પાન કરે છે.
![]() |
Play video |
અમે તમને આજે એ મંદિર વિષે જણાવવાના છીએ જ્યાં માતાને પ્રસાદ રૂપે મદિરાપાન અર્પણ કરવામાં આવે છે. આ મંદિરમાં મદિરા નો પ્રસાદ ભક્તોની સામે ચઢાવવામાં આવે છે અને મૂર્તિના હોઠે લગાવતા જ પ્યાલા માંથી મદિરા ગાયબ થઇ જાય છે.
માતા ‘કવલકા’ ના નામથી પ્રસિદ્ધ આ મંદિર રતલામ શહેરથી લગભગ 32 કિમીના અંતરે ગામ સાતરુંડાની ઉંચી ટેકરી પર આવેલ છે. આ મંદિર 300 વર્ષ જૂનું છે. અહી સ્થિત માતાની મૂર્તિ ચમત્કારી છે.
અહીના પુજારીનો દાવો છે કે આ મૂર્તિ મદિરાપાન કરે છે. મંદિર ચમત્કારી હોવાને કારણે દુર-દુરથી અહી દર્શન કરવા માટે ભક્તો આવે છે. આ મંદિરમાં માતા કવલકા ની સાથે કાળભેરવ, કાળી માં અને ભગવાન શિવ બિરાજમાન છે. અહી ફક્ત માતા કવલકા જ મદિરાપાન નથી કરતા પણ તેની સાથે કાળી માં અને ભગવાન શિવ પણ મદિરાપાન કરે છે.
ભક્તજન માતાને પ્રસન્ન કરવા હેતુ મદિરાનો ભોગ ચઢાવે છે. ભૂતપ્રેતથી પ્રભાવિત લોકોનો ઈલાજ પણ આ મંદિરમાં થાય છે.
0 Comments
Post a Comment