પદ્મશ્રી ભક્ત કવિ દુલા ભાયા કાગ (ભગતબાપુ) ની ૧૧૮ મી જન્મ જ્યંત્તી




જન્મની વિગત ૨૫-૧૧ - ૧૯૦૨

મજાદર ( તા. મહુવા, જિ.ભાવનગર)

મૃત્યુની વિગત ૨૨-૦૨ - ૧૯૭૭

મજાદર(કાગધામ) ( તા. રાજુલા, જિ.અમરેલી)

હુલામણું નામ ભગતબાપુ

અભ્યાસ પાંચ ધોરણ

વતન ભારત

Dulabhaya kaag

ધર્મ ચારણ-ગઢવી(હિન્દુ)

ભગત બાપુ ના પિતાનું નામ ભાયા ઝાલા કાગ અને માતાનું નામ ધાનબાઈ હતું. ભગત બાપુ માત્ર ૫ ધોરણ સુધીનું શિક્ષણ મેળવ્યું અને ત્યાર બાદ તેમના કૌટુંબિક વ્યવસાય ખેતીમાં જોડાયા. તેમણે તેમની જમીન વિનોબા ભાવેના ભૂદાન આંદોલનમાં અર્પી દીધી હતી.

દુલા ભાયા કાગની વાણી એટલે શબ્‍દો પણ ધન્ય બની જાય અને લોકહૈયામાં એવાં તો વસી જાય કે યુગોનાં બદલાતા પ્રવાહો અને પ્રચંડ પરિવર્તનો વચ્‍ચે પણ કંઠસ્‍થની પરંપરા ગ્રંથસ્‍થના સામર્થ્‍યને સહેજમાં હરાવી દે. દુલા કાગ એટલે જનસાધારણની શાશ્ર્વત મનીષાનું અસાધારણ પ્રતિનિધિત્‍વ. ભારતની ધરતી અને તેની મનીષાનું ધીમેથી ક્યાંક તો ક્યાંક ઝડપથી ચાલતું વહેતું ઝરણું. દુલા કાગની વાણી એટલે રામાયણની કરુણા અને મહાભારતની સંકુલ સ્થિતિ તો સંસ્‍કૃતની સાહિત્‍ય પરંપરાના કંઇ કેટલાંય નામો સાથે સંદર્ભ વિશેષ પર્યાય. રામાયણ-મહાભારત ઉપરાંત ચારણી સાહિત્યનો સ્વાધ્યાય અને એનું સંપાદન. ખેતી અને ગોપાલનનો વ્યવસાય. કંઠ, કહેણી અને કવિતાનો સુમેળ સાધનારા ‘કાગ’ લોકગીતો, ભજનો અને આખ્યાનોનો જાહેર કાર્યક્રમો પણ આપતા.

ભગત બાપુ. જ્ઞાન, ભક્તિ અને નીતિ-આચારણ જેવા વિષયોને ચારણી છંદ, ભજન અને દુહા જેવા કાવ્યપ્રકારોમાં ઢાળનારા આ કવિએ લોકપરંપરાના પ્રાચીન કલેવરમાં અર્વાચીન સંવેદનોને ગૂંથવાનો પ્રયત્ન કર્યો છે. તેઓ તેમની ગ્રંથમાળા કાગવાણીના આઠ ભાગ માટે જાણીતા છે, જે ભજનો, રામાયણ અને મહાભારતના પ્રસંગો તેમજ ગાંધીજીની દર્શનશાસ્ત્ર અને વિનોબા ભાવેના ભૂદાન આંદોલન પર આધારિત ગીતો ધરાવે છે. તેમણે મહાત્મા ગાંધી અને વિનોબા ભાવે પર પુસ્તક પણ લખ્યાં છે.

• કાગવાણી - ભાગ ૧ (૧૯૩૫), ૨ (૧૯૩૮), ૩ (૧૯૫૦), ૪ (૧૯૫૬), ૫ (૧૯૫૮), ૬ (૧૯૫૮), ૭ (૧૯૬૪)

• વિનોબાબાવની (૧૯૫૮)

• તો ઘર જાશે, જાશે ધરમ (૧૯૫૯)

• શક્તિચાલીસા (૧૯૬૦)

• ગુરુમહિમા

• ચન્દ્રબાવની

• સોરઠબાવની

ભારત ના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ ના હસ્તે તેમના સાહિત્યિક અને રાજકીય યોગદાનને પરિણામે, દેશએ તેમને 1962 માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા.

25.11.2004 ના રોજ ભારતીય ટપાલ વિભાગ દ્વારા કાગબાપુ ની 102 વર્ષગાંઠ નિમિતી 5 રૂપિયા ની ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી.

પ્રતિ વર્ષ પદ્મશ્રી કવિકાગબાપુ ટ્રસ્ટ દ્વારા પુજ્ય કાગબાપુ ની પુનિયા તિથિ ફાગણ સુદ ચોથ ના દિવસે પુજ્ય મોરારીબાપુ ના સાનિધ્ય માં ઉજવવામાં આવે છે અને પ્રતિ વર્ષ પુજ્ય કાગબાપુ નાં નામે 5 એવોર્ડ પણ આપવામા આવે છે.

પુજ્ય કાગબાપુ ની પ્રતિમા ભાવનગર , મહુવા અને રાજુલા પ્રતિષ્ટિત કરી છે અને કાગ બાપુ ચોક નામ પણ આપવામાં આવ્યું છે. વડોદરા માં એક સરકારી સ્કૂલ ને કાગબાપુ નું નામ આપવામાં આવ્યું છે.