શ્રી યદુકળભૂ‌ણ રાજાધિરાજ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ 🙏🏻

યદુકળભૂ‌ણ રાજાધિરાજ શ્રી કૃષ્ણ વંદે જગતગુરુ


🌅 આજે *ઈતિહાસ ની કલમે* મારે ટૂંકમાં માહિતી પ્રકાશમાં લાવવાનું પ્રયત્ન કમશ..૧


🌅 શ્રી મુળ પુરુષ આદિનારાયણ ના નાભી કમળમાથી ઉત્પત્તિ શ્રી બ્રહ્માજી અને એના પુત્ર અત્રિઋષિ થયા...

માતા સતી અનસૂયા આને પીતા અત્રી ગોત્ર અત્રી યદુ રાજા પર યાદવ કહેવાણા યદુ કુળ માં ભગવાન શ્રી કૃષ્ણ થયા અને ૧૩૫ પેઢી એ રાજા દેવેન્દ્ર પ્રતાપી રાજા હતા તે સમય જાડેજા ની ગાડી ઈજિપ્ત દેશ મા હતી. તે સમય ઈસ્લામ ધર્મ વધી રહ્યો હતો આજ થી ૧૭૦૦ વર્ષ પહેલાં મોહમદ પેગંબર ઈસ્લામ ઈસ્લામ ધર્મ આપવાનું કિધુ રાજા દેવેન્દ્ર ને રાજા દેવેન્દ્ર પ્રતાપી રાજા હતા ધર્મ ના બદલ્યો યુદ્ધ સ્વીકાર્યું રાજા દેવેન્દ્ર યુદ્ધ માં વિરગતી પામ્યા રાજા દેવેન્દ્ર ને ૪ દીકરા હતા અસપત ગજપત નરપત આને નાના ભુપત મોહમદ પેગંબર એ કિધુ જે ભાઈ ઈસ્લામ અપનાવ છે તેને ઈજિપ્ત ની ગાદી આપુ ૪ ભાઈ માં મોટાભાઈ અસપતજી ઈસ્લામ અપનાવ્યું ૩ ભાઈ ને કબુલ નતુ ઈજિપ્ત દેશ મુકી ભારત તરફ આવ્યા અસપતજી( ઈસ્લામ ધર્મ મુગલ કહેવાણા દિલ્હી પર શાશન કર્યું) ગજપતજી(જુનાગઢ ૪ શાખા મોટા ચુડાસમા સરવૈયા રાયજાદા અને રણા) નરપતજી( જામ નરપતજીના જાડેજા ) ભુપતજી( ભાટી જેસલમેર)


🌅 જાડેજા વંશ ના પૂર્વજ મહારાજા દેવેન્દ્ર ના ચાર કુંવર હતા. જામ અસપતજી, જામ ગજપતજી ,જામ નરપતજી અને જામ ભૂપતજી.


સૌથી મોટા કુંવર જામ અસપતજી એ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો, જામ ગજપતજી ના વંશજ ચૂડાસમા અને પછી સરવૈયા, રાયજાદા થયા જામ ભૂપતજી ના ભાટી થયા અને જામ નરપતજી વંશજો સમા અને આગળ જતાં જાડેજા કહેવાયા.


🌅 આપણે જામ નરપતજી ની વાત ને આગળ લઈ તેઓ મિસર દેશમાંથી ગિજની આવી અને ત્યાં ના બાદશાહ ફિરોઝ ને હરાવી અને ગિજની નો કબજો કર્યો ત્યાર પછી પાછી ગિજની ની પાછી નરપતજી ના હાથ માંથી ચાલી ગઈ. ત્યારબાદ ત્યાંથી તેઓ સિંધ પ્રદેશ તરફ આવ્યા.સિધની ધરતીમાં આવી ને સમા વંશ નો પાયો નાખ્યો. સિંધ પ્રદેશ મા સમૈનગર ની સ્થાપના કરી.


🌅 વિક્રમ સવંત નવમી સદીમાં સિંધની ગાદી પર શ્રી લાખોજી ઘુરારો આવ્યા ,તેઓ મહાપ્રતાપી હતા. લાખાજી જામ ને બે રાણીસાહેબા હતા એક ચાવડી રાણી,બીજા ગોહિલ રાણી બે રાણીઓ થી ચાર - ચાર કુંવરો થયા , જેમાં ચાવડી રાણી ના ચાર કુંવરો..મોડજી, વરેઆજી,સાધજી અને ઓઠોજી અને ગોહિલ રાણી ના ચાર કુંવરો... ઉન્નડજી, જેહોજી, ફુલજી અને મનાઈજી.


🌅 શ્રી પાટવી કુંવર મોડજી હતા પણ જામ લાખાજી એ પોતાના ગોહિલ રાણી ને વચન આપેલું કે પોતાના અવસાન પછી આ રાજગાદી નો હકદાર ઉન્નડજી બંને આમ ટુંકમા જામ લાખાજી નું અવસાન થતા આ સિંધ પ્રદેશ ની રાજગાદી ઉન્નડજી ને સોંપવામાં આવી. આ અન્યાય સામે પાટવી કુંવર મોડી ને માઠું લાગ્યું અને એના સાવકા ભાઈ મનાઈજી ને સાથ માં લઇ ને ઉન્નડજી નું ખૂન કર્યું. આને ત્યાર બાદ આ બે ભાઈઓ મોડ - મનાઈ કહેવાય છે તે વખતે કરછમાં ઉતરી આવ્યા.


➡️હાલમાં જે લખપત કહેવાય તેના પાસે આવેલા પુરાણા પાટગઢમા એ સમયે વાઘમ ચાવડા નો અમલ હતો. આ વાઘમ ચાવડા તે મોડજી ના મામા હતા. મામા એ આ બંને ભાઈઓ ને આશરો આપ્યો.


 ➡️કમશ.... આગળની વાત આવતી પોષટ માં..


➡️નોંધ:-

લેખન માહિતી ઈતિહાસ ના આધારે ભૂલચૂક ક્ષમા પાત્ર🙏🏻


🖋️ જામ અબડા જાડેજા રતનસિંહજી પાંચુભા

     જખૌ કચ્છ, વીર ભૂમિ અબડાસા 

      * આપણી સંસ્કૃતિ* ગ્રુપ 🙏🏻