(જય શ્રી સતાદાદા)


શ્રી સતાદાદા નું જીવન ચરિત્ર

------------------------- 

સંતો નો સ્વભાવ છે એવો 

જનેતા ની ગોદ નાં જેવો

સંત શ્રી સતાદાદા નું ઈતિહાસ અને જીવન ચરિત્ર | આપણો ઇતિહાસ | sant shree satadada (kachro bhagat)
Play video


એવા પરમ વંદનીય સંત શ્રી સતાદાદા નું મંદિર અંજાર તાલુકા નાં લાખાપર ગામની પવિત્ર ભૂમિ માં આવેલું છે 


શ્રી સતા ભગત નું જન્મ 

વિક્રમ સવંત (૧૭૭૧) માં મેવાડા સુથાર જ્ઞાતિ ની (પરમાર) અટક માં થયો હતો

તેમનું બાળપણ નું નામ 

(કચરો ભગત) હતું જે આગળ જતા સત્ય વચન અને સત્સંગ પ્રીતિ નાં પ્રતાપે તેઓ સંત શ્રી

 સતા ભગત તરીકે ઓળખાયા 

તેઓ નાં પિતાશ્રી નું નામ દાનાબાપા અને માતા નું નામ પુની માં હતું

દાના બાપા ને ત્રણ સંતાનો હતા

(૧) કચરા ભગત (સતાદાદા)

(૨) વસ્તા બાપા

(૩) કરશન બાપા

તેમના પૂર્વ જો માં શ્રી સૂરાબાપા

માંડણ બાપા 

નોઘાં બાપા

ભોજા બાપા

વજોજી - કાજોજી - ગાગોજી

સેજોજી - તેજોજી - સંભૂજી 

સામંતજી.. 

આ શ્રી સતા ભગત નાં પૂર્વજો ની પેઢી નાં નામ છે

વિક્રમ સવંત (૭૨૬) માં 

આ મેવાડા સુથાર (પરમાર) 

પરિવાર આબુ (રા જે) અને ત્યાર પછી ચોરાડ નાં એવાડ ગામે થી 

વિક્રમ સવંત (૧૪૦૩) માં કરછ માં આવી ને વસવાટ કરવા લાગ્યા


શ્રી સતા ભગત ભારાપર (અંજાર) જાગીર નાં શિષ્ય હતા.....


 આ છે સંત શ્રી સતાભગત નું ટુંકમાં પરિચય

-----------------------------


(શ્રી સતા ભગત નું જીવન ચરિત્ર)


બાલ્ય કાળ થીજ સતા ભગત ને પ્રભુ ભજન અને સત્સંગ માં અપાર પ્રીતિ હતી

ભક્ત રાજ શ્રી સતાદાદા નાં પિતાશ્રી સુથારી કામ કરતા હતા અને બાળક સતા ભગત પણ તેમના પિતાજી ને આ કામ માં મદદ કરતા 

એ સમય માં તો લાકડાં માંથી ખેતી નાં ઓજારો બનાવવાનું જ મુખ્ય કામકાજ હતું

કોઈપણ ખેડૂત તેમની પાસે નવા ઓજારો બનાવવા અથવા કંઇક પરચુરણ કામ કરાવવા આવે તો ભક્ત રાજ તેમની સાથે સત્સંગ કરવા બેસી જતા

અને યુવાન અવસ્થાએ પહોંચતા તો સતાભગત ભક્તિ નાં રંગ માં પૂર્ણ રૂપે રંગાઈ ગયા

હવે ઉંમર લાયક થવાથી ઘરની જવાબદારી પણ વધી ગઈ હતી

એટલે બધુજ કામ હવે પોતે જાતેજ કરતા હતા 

પણ એનું રૂદિયો તો સદાય રામ માં રમતો હતો

કોઈપણ જગ્યા એ થી ભજન સત્સંગ નું વાયક કે આમંત્રણ મળે એટલે બધુજ કામ છોડી ને નીકળી જાય

અને જો કોઈ કહે કે ભક્ત રાજ કામ નઈ કરો તો તમારું ગુજરાન કેમ ચલાવ છો

ત્યારે તેઓ હસી ને એક (સાખી) કહેતા કે

મુવે કો હરી દેત હે કપડાં લકડી ઓર આગ

જીવતા નર ચિંતા કરે ઉનકી બડી અભાગ


એટલે કે મારો ઇશ્વર દયા નો સાગર છે કે એ મરેલા માણસ ને પણ કફન માટે કપડું.. લાકડાં.. અને આગ આપે છે

માટે જીવતો માણસ સાવ ફોગટ ચિંતા કરે છે


માટે આવા મહાન પુરૂષ ની જ વાતું સંસાર માં યુગો સુધી અમર રહે કે જેને મોહ મયા નાં બંધન નડતા નથી

માટે જ તો કોઈ કવિ એ પણ કીધું છે કે


માયા અને મમતા તણો અને જેને રુદિયે નવ લાગ્યો રોગ

એવા સંત સમરવા જોગ

અને દિવસ ઉગતા જોને દાદવા..


અને કોઈપણ ની સાથે વાત કરતા કરતા એમ કહેતા


રામ ભજીલે પ્રાણીયા અને પછી ભજાછે નઈ

આ કાયા થાસે તારી જાજરી પછી બેઠું રેવાછે નઈ


અને પછી તો સમય જતાં જતાં તો તેઓ ભક્તિ માં એકાકાર થઈ ગયા

અને દિવસ રાત પ્રભુ ભક્તિ માં જ જીવન જીવવા લાગ્યા

અને હવેતો આજુ બાજુ ના ગામડે થી અને દૂરદૂર થી ભજન સત્સંગ નાં વાયક આવવા લાગ્યા 

અને ભક્ત રાજ નું તો એવું નિયમ હતો કે  

વાયક મળે તો ગમે તેમ કરીને પણ ભજન માં જાવું

આવો નિયમ તેઓ પાળતા હતા

હવે આમ ઘણો સમય ચાલ્યો પણ બન્યું એવું કે બે ત્રણ નબળા વરસ ગયા અને ત્યાર પછી એક વખત ચોમાસા માં બહુ સારો વરસાદ વરસ્યો 

અને ખેડૂતો પોતાના ઓજારો ની સજાવટ કરવા લાગ્યા 

એટલે ભક્ત રાજ ની કોડ માં કામ પણ વધારે રહેતું હતું

અને બરાબર એવા સમયે જ ભજન સત્સંગ નું વાયક મળ્યું

આખો દિવસ કામ કરી અને જે ખેડૂતો નાં કામ બાકી હતા તેમને કહ્યું કે ભાઈ ઓ તમારું કામ હું કાલે કરી આપીશ

અત્યારે તો મારે ભજન માં જવાનું છે


અને ગામની અંદર મોટા ભાગ ની વસ્તી આહિરો ની 

અને બધાજ ખેડૂતો આહિર હતા અને સતાભગત ને ખુબજ આદર અને સન્માન આપતા હતા

એટલે કંઇ જ બોલ્યા નઈ પણ તેઓ નાં મનમાં એમ થયું કે જો આ કામ સાંજે પૂરું થઇ ગયું હોત તો કાલે વહેલી સવારે ખેતર માં વાવણી ચાલુ થઈ જાત ..

હવે ખેડૂત ની લાગણી પણ વ્યહવારિક છે

અને ભક્ત નું વ્રત પણ એટલુજ મહત્વનું છે

અને આવા સમયે તો ચિંતા ખુદ હરી ને જ હોય

કે ખેડૂત જગત નો તાત છે એનો એક દિવસ નાં બગડવો જોઈએ 

અને ભક્ત નું વ્રત પણ નાં તૂટવું જોઈએ 

અને તે દિવસે ખુદ શ્રી હરી એ ભક્ત રાજ નું રૂપ ધારણ કરી અને આખી રાત્રિ કોડ માં કામ કર્યું

અને વહેલી સવારે જે ખેડૂતો નું કામ બાકી હતું તેમને બોલાવી ને તેમના ઓજારો તેમના હાથ માં આપ્યાં

અને ભક્ત સતાદાદા બીજે દિવસે આવીને જુવે છે તો 

એક પણ ખેડૂત નું કામ બાકી નથી આથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા 

અને વિચારવા લાગ્યા કે આ લોકો કામ કરાવ્યા વગરજ પોતાના ઓજારો પાછા લઈ ગયા કે છું 

પણ જ્યાં આમ જુવે ત્યાં લાકડાં નાં વેરણ નો ભૂકો જોયો અને પછી ભક્તરાજ ને એમ થયું કે આ લોકોએ પોતાનું કામ પોતે જાતે જ કર્યું લાગે છે

 આમ કરતાં કરતાં સાંજ પડી ગઈ 

અને રોજ ગામલોકો આ ભક્ત રાજ ની કોડે મેળાવડો કરે

એટલે પાસા બધાય મેળાવડો કરવા માટે કોડે આવ્યા 

અને કહેવા લાગ્યા અરે ભગત તમે બહુ ઉદારતા વાદી છો 


અમારી વાવણી ને એક દિવસ મોડું ન થાય એટલા માટે 

તમે તમારું વ્રત તોડી નાખ્યું


ભગત કહે નાં હૂતો ભજન માં ગયો હતો

અને આજે સવાર માં આવ્યો છું 

વાયક નું ગામ થોડે દૂર હતું એટલે આવતા પણ થોડું મોડું થયું હતું

પણ આહિરો એ કીધું અરે ભગત તમે પણ મજાક કરો છો 


ત્યારે સતા ભગત કહે કે હું હતો ?


ગામ લોકો કહે હા હા ભગત 

તમેજ તો અમને વહેલા ઉઠાડી ને અને અમારા ઓજારો એમને આપ્યા હતા


હવે ભક્ત રાજ આખી હકીકત સમજી ગયા

અને ઊઠીને ઘરની અંદર ચાલ્યા ગયા

અને પ્રભુ ને વિનમ્ર ભાવે કહેવા લાગ્યા 

હે ઠાકર હું તારું ભજન કરું અને તું મારું સખત મહેનત વાળું કામ કરે

એ મને જરાય ગમતું નથી

અને એજ ઘડીએ ભક્ત રાજે સમાધિ લેવાનો વિચાર કરી લીધો


અને દૈવી આકાશવાણી ની આજ્ઞા મુજબ

શ્રી સતાદાદા એ ભાદરવા સુદ એકાદશી નાં પવિત્ર દિવસે સમાધિ લેવાનું 

નક્કી કર્યું

અને ગામ લોકો ને વાત કરી આમ

એકાદશી નાં સુભ દીને 

લાખાપર ગામના (તળાવ) ને કિનારે ઘટાદાર વડ લા ની હેઠે જીવતા સમાધી લીધી

અને એની ફોરમ આખાય ગામ માં ફેલાઈ ગઈ

  આજ પણ એ સમાધિ સ્થળ તેમજ દાદા નું મંદિર મોજુદ છે જે પહેલા નાની એવી દેરી હતી પણ 


તારીખ : ૨૬-૯-૨૦૧૨ ને

વિક્રમ સવંત ૨૦૬૮


નાં રોજ એક નૂતન મંદિર નું નિર્માણ કર્યું


શ્રી સતાદાદા ને આમતો અઢારે વરણ નમે છે પણ ખાસ સુથાર અને આહિરો દાદા ને વધારે શ્ર્ધ્ધા અને ભાવ પૂર્વક પુજે છે

ભક્ત શ્રી સતાદાદા ના વંશજો આજે પણ લાખાપર ગામ માં જ રહેછે 

દાદા ના અત્યારે હાજરા હજૂર અનેકો અનેક પરચા છે

જેવા કે એક આંતરીયો તાવ 

અટુટીયો

આંખ ની પીડા

દાદા ની માનતા લેવાથી હરેક રોગ દોષ નું નિવારણ થાય છે

બાકી તો શ્રદ્ધા નો વિષય છે તો પુરાવા ની જરૂર નથી


દર વર્ષે ભાદરવા સુદ એકાદશીએ દાદા નું મેળો થાય છે

મેળા નાં દિવસ ની આગલી રાત્રિએ એટલે

દસમ ની રાત્રિએ 

ગામ ની ભજન મંડળી દ્વારા આરાધી સંતવાણી યોજાય છે

અને એકાદશીએ સવારથી જ આખું ગામ પાંખી પાળે છે

અને ઘરો ઘર થી દાદા ને જાતર ચડાવાય છે

અને સાંજે સમૂહ જાતર

નું પ્રસાદ ચડાવવા માં આવે છે

લાખાપર ગામ ઉપર સંત શ્રી સતાદાદા ની અપાર અનુકંપા છે એ વાત ની અનુભૂતિ પણ ગામે ઘણી વાર કરી છે

 કારણ કે દાદા ની સમાધિ સ્થળ ની ધરતી માં કંઇક અલગ જ ચૈતન્ય છે 

જો કોઈ સાચા ભાવ થી દાદા શરણે આવે તો એના તમામ સંકટ દૂર થાય છે

અને એટલેજ તો કહેવાય છે


સંતો નો સ્વભાવ છે એવો

જનેતા ની ગોદ નાં જેવો


અને એક ડગલું મે આગળ ભાળ્યા જનની થી જગ સંત

એ.. માત સુવરાવે ને સંત જગાડે 

પછી ભેળવી દિયે ભગવંત..

સંતો નો.....


બોલો. સંત શ્રી સતાદાદા કી જય


આવા પરમ વંદનીય સત શ્રી નાં ચરણો માં કોટી કોટી વંદન


મિત્રો આ માહિતી મે મારા ગામ લાખાપર નાં વડીલો પાછે થી અગાઉ ઘણી વખત સાંભળી હતી

અને આજ દાદા ની પ્રેરણા તેમજ મારી મતિ અનુસાર દાદા નાં જીવન ચરિત્ર વિશે મે વર્ણન કર્યું છે

કારણ કે 

કવિ નહુ મૈ ચતુર કહાવું

મતિ અનુરૂપ હરી ગુણ ગાવું

અસ્તુ...જય મુરલીધર

આ પોસ્ટ ટાઇપિંગ કરનાર


શ્રી મહાદેવ ભાઈ ધનજી ભાઈ આહિર

ગામ : લાખાપર 

તાલુકો : અંજાર (કરછ)

(મો) : 9898528299

          9979381856

જય હિન્દ

જય ભારત

જય જય ગરવી ગુજરાત