પડાણા થી છત્રાવા જ્યારે વીર વછરાજ દાદા સાક્ષાત આવ્યા હતા તે દિવ્ય પ્રસંગ ની વાત
વાત છે આજ થી અંદાજે 300-350 વર્ષ પહેલાં ની પડાણા ગામે વાસા ગઢવી નામે એક ચારણ જે પાચોટિયા વારા વીર વછરાજ ના પરમ ઉપાસક હતા,,પરમ ઉપાસક એટલે ઉઠતા બેઠતા જાગતા સુતા એક જ નામ હે વાછરા,હે દાદા,હે વછરાજ બસ એક જ નામ,, એવા પાચોટિયા વારા વીર વછરાજ ના પરમ ઉપાસક વાસા ગઢવી ને ત્યાં કોઈ સંતાન નહોતું આથી એમણે માંતા માનેલી કે હે વાછરા તું મારે ત્યાં પારણું બંધાવ એટલે હું અહીંયા તારી સ્થાપના કરીને મંદિર બંધાવીશ..ધીમે ધીમે સમય વીત્યો ને વાસા ગઢવી ને ત્યાં દીકરી નો જન્મ થયો,,વીર વછરાજ એ દીકરી આપી હોવાથી એમનું નામ વાછલ રાખવામાં આવ્યું,,,વીર વછરાજ એ દીકરી આપી હોઈ એટલે ગુણવાન ને ભક્તિવાન તો હોઈ જ,,નાની ઉંમર થિ જ આઈ વાછલ વીર વછરાજ ની ભક્તિ માં રંગાઈ ગયા ને જીવન આખું એમને અર્પિત કરી દીધું..સવાર સાંજ ધુપદીવો તો કરતા જ પણ સાથે સાથે ગાયું ની સેવા પણ કરતા..ધીમે ધીમે આઈ વાછલ મોટી ઉંમર ના થયા,,જેથી વાસા ગઢવી એ એમનું સગપણ છત્રાવા ગામે લીલા પરિવાર માં નક્કી કર્યું...ધીમે ધીમે લગન નો સમય આવ્યો છત્રાવા થી જાન પડાણા આવી ને ત્યારબાદ વિધીગત લગન સંપન્ન થયા. ત્યારે તેદી રાતે વાસા ગઢવી ને એમ થયું કે કાલ તો દીકરી ચાલી જાશે તો ચાલો બે ઘડી દીકરી પાસે બેસી લવ ને જ્યાંરે વાસા ગઢવી દીકરી પાસે આવ્યા ત્યારે માં વાછલ ઉદાસ ને ચીંતા માં બેઠા તો વાસા ચારણ એ જઇ પૂછ્યું કે દિકરી તારે જે જોતું હોઈ એ માગી લેજે હોને કાઈ મુંજાતિ નહિ..ત્યારે માં વાછલ એ કહ્યું કે મારે વાછરો જોઈએ છે એમના વિના હું છત્રાવા નહિ જાવ તો વાસા ચારણ એ કહ્યું કે દીકરી આ તું શું બોલે છે એમ કઈ વાછરો થોડી આવે ને એ કઈ થોડી આ રીતે અપાય એ પરમશક્તિ છે ને દીકરી તું આજ જીદ છોડી દે તો પણ માં વાછલ રાજી ન થયા ને રડવા લાગ્યા ત્યારે એ જોઈ વાસા ગઢવી પણ રડવા લાગ્યા ને દીકરી પાસે થી ઉભા થઇ પોતાના ઓરડા માં ગયા ત્યારે સૂતી વેળા એ *વાછરા દાદા* ને અરજ કરી કે હવે આબરૂ તારા હાથ માં સે ને આ સમય એ બન્યું એવું કે એક જ સમય એ વીર વાછરો રાત્રી ના 4 વાગે માં વાછલ ને વાસા ગઢવી ના સપને આવીને કહ્યું કે હું *વાછરો શુક્રવારે છત્રાવા જાઇસ માં વાછલ સાથે ને જગત આખું જોવે એ રીતે જઈશ ને સાથે સાથે માં વાછલ ને કહ્યું કે તું સામી ન હાલતી બેન નહિતર જ્યાં પહોંચયો હશે એજ જગ્યાએ સમાધિસ્થ થઇ જાઇશ*..
ભાઈ ના સપને દર્શન કર્યા બાદ માં વાછલ છત્રાવા જાય છે ને ત્યાં જઈને ભાઈ ની રાહ જોવે છે. એક દી-બે દી એમ દિવસો પસાર થાય ને મા વાછલ રોજ ડેલી એ ઉભી ભાઈ વાછરા ની રાહ જોવે છે. લોકો ને એમ થાય કે આ ગાંડા થઈ ગયા એમ કઈ વાછરો થોડી આવે.પણ ધીમે ધીમે શુક્રવાર નો એ સમય આવ્યો ને ત્યારે સવાર થી જ માં વાછલ ને અન્ય સ્ત્રીઓ વીર વછરાજ ની રાહ જોઇને ઉભા હતા તેની સાથે ગામજનો શંકા ની છત્રીઓ ખોલી ભાદર કાંઠે ઉભા હતા ને ત્યારે એ સમય આવ્યો ને ગામજનો ને સંભળાઇ એ રીતે *ઘોડા ના ડાબલા સંભરાણાં પણ કોઈ દેખાય નહિ એવું દસેક મિનિટ થયું ત્યારબાદ થોડીક ક્ષણો માં જ બધા જોવે છે એક સફેદ ઘોડા ઉપર એક સફેદ વસ્ત્ર ધારણ કરેલ અસવાર આવી રહ્યો છે,,વરરજો નો વેશ છે,કેળે સીહોરી તલવાર રાખેલ છે ને સાથે સાથે એક હાથ માં ભાલું ને એક હાથ માં શ્વેત ધજા છે..એમનું દિવ્યસ્વરૂપ જોઈ ગામ ભાળી ગયું કે આ તો સાક્ષાત વાછરો છે*
..ધીમે ધીમે વાછરો છત્રાવા માં આવે છે ને ગામજનો એમની પાછળ પાછળ આવે છે..ભાઈ ના આવવાની વાત જાણતા જ માં વાછલ પ્રેમાવેશ માં ઘેલા થઈ જાય છે ને પોતાને કહેલ શબ્દો ભૂલી ને ભાઈ ના ઓવરણાં લેવા જાય છે ત્યાં તો પાદર માં પહોંચી વાછરો એમના ઘોડા સાથે સમાધિસ્થ થાય છે ને એમના પ્રતિકસમુ એક ફળું ત્યાં મૂકે છે..થોડીક ક્ષણો માં એક ગેબી અવાજ સંભળાઈ છે કે બેન હું તારી ભક્તિ થી પ્રસન્ન થયો હું તારી સાથે આખા લીલા પરિવાર ને લાખ પાસ આપું છું ને સાથે સાથે હું અહીં ચરણે આવ્યા ના દુઃખ દર્દ મટાડીશ તેમજ વિષ હડકવા ને વાય હરીશ.
ત્યાર બાદ વાછરો છત્રાવા આવ્યા ને અનેક પરચાઓ આ પેઢ માં પૂર્યા
વાછલ આઈ ના આવ્યા બાદ એક ધણખુંટ ને હડકવા હાલ્યો તો ગામ ધા લઈ મંદિર એ આવ્યું ત્યારબાદ વાછલ આઈ આખા જોઈ ધણખુંટ ઉપર થાપો મારી કહ્યું કે નીરણ ખાઓ
ક્ષણ વાર માં જ ધણખૂટ નીરણ ખાતો થઈ ગયો આ જોઈ ગામ ને સમજાઈ ગયું કે હવે કોઈ જીવ ને હડકવા નહિ હાલે પરંતુ ગામ વિચાર કરવા લાગ્યું કે પણ નાગદંશ નું શુ ? કેટલા ઝેર ચડવાથી મરી ગયા આવી વાતો ગામ માં થવા લાગી
થોડોક સમય બાદ જ એક ચારણ ને એરું આભડયો ને ઝેર ચડવાથી મૃત્યુ થયું પણ બન્યું એવું કે એમની નનામી દાદા ના મંદિર આગળ પહોંચી ત્યાંતો એ ચારણ માં પ્રાણ આવી ગયા અને એ સજીવન થઈ ગયા.. *આ છત્રાવા ના વીર વાછરા દ્વારા પુરવામાં આવેલ અવિસ્મરણીય પરચો હતો*
આ જોતા જોતા જ ગામ ને સમજાઈ ગયું હવે વિષ,હડક્વા,વાય નહિ હાલે રાણા ના રાજ માં
એક વાર છત્રાવા ના ભુવા આતા અજા આતા ખેતર માં સાતી હાંકતા હતા તો ગામ માં થી કોઈ ને એરું આભડયો આથી ઢોલ ની ડાંડી એ ધા દેવાણી,,એક માણહ એ આવી અજા આતા ને જાણ કરી કે ધા આવી છે. અજા આતા આ સાંભળી ને એટલું બોલ્યા કે હે ડાડા મારી હાંતી નું ધ્યાન રાખજે એટલું બોલીને નીકળી ગયા પણ જેવા તે મંદિરે એ પહોંચી ગયા ને જ્યોત માં જોવાનું ચાલુ કર્યું તો દાદા જ્યોત માં આવતા ન હતા આથી અજા આતા મૂંઝાઈ ગયા કે શું ભૂલ થઈ હશે પણ એટલા માં કોઈક એ આવીને કહ્યું કે તમારું સાતી એકલું એકલું ચાલે
અજા આતા સમજી ગયા કે સાતી વીર વાછરો હાંકે આથી માફી માંગીને દાદા ને હાજરી આપવા કહ્યું
ક્ષણ વાર માં તો દાદા એ વાયુ વેગે હાજરી આપી ને હળાહળ ઝેર પીધું ને પળવાર માં તો માણહ વાતું કરતો થઈ ગયો
આ પરચા વિશે જે-તે સમય માં ભજન બનાવામાં આવયુ હતું જેનો ભાવ અહીં છે
જોવા ટાને જ્યોત માં ના આવે
રખે રાણો હાતીએ જાવે
હાતી છોડીને હાલજો રાણા
ધ્યાન માં લેજો ધા
એરું અડેલા આશરે આવ્યા
એમાં મન મારુ મૂંઝાઈ
જોવા ટાણે જ્યોત માં ના આવે
રખે રાણો હાતીએ જાવે
હાંતી છોડીને હાલજો રાણા
ધ્યાન માં લેજો ધા
હાંતી છોડીને હાલ્યો રાણો
ધ્યાન માં લીધી ધા
અજા ના તે અંગ માં આવ્યો
જામેલા ઝેર જો ચૂસ્યા
આ રીતે છત્રાવા ના આ પેઢ માં વીર વછરાજ એ અગણિત પરચા ઓ પૂર્યા છે ને હજી આજની તારીખે દાદા પરચા ઓ પુરે છે
બસ એમના પર સાચી શ્રદ્ધા હોવી જોઈએ
છત્રાવા વારો વાછરો બધાની મનોકામનાઓ પૂર્ણ કરે
જય છત્રાવા વારા વાછરા દાદા
0 Comments
Post a Comment