ગરીબકી થાલીમે પુલાવ આ ગયા..
લગતા હે શહરમે ચુનાવ આ ગયા...
ખરેખર આપણો દુર્ભાગ્ય છે કે ચુંટણીઓ વખતે જ નેતાઓને જનતા યાદ આવે છે, ગરીબો યાદ આવે છે.
લોકતંત્રમા પણ અલોકતંત્રની આપણને અનુભૂતિ થતી રહે છે. મોંધવારીએ માઝા મુકી છે. ખાવાની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચ્યા છે. પેટ્રોલ, ડીઝલના ભાવ વધારા પર કોઇ રોક નહી. આમ જનતા પાસે ટેક્ષનુ મીટર ચોવીસે કલાક ચાલુ રહે છે અને સરકારની તીજોરી આ રીતે ભરાતી રહે છે.
આ તીજોરીઓ વરસે દહાડે ચુંટણીના અધધ ખર્ચાઓમા ખાલી થાય છે. તે સિવાયના બીજા ભૌગોલિક ધન સ્રોતો વેંચી તેમજ સરકારની પરંપરાગત સંસ્થાઓ, એકમો વેંચીને આવી પડતી ખોટો પુરાતી હોય છે. આ ચક્ર આઝાદી પછી આ રીતે જ થોડા નવીન રંગ રુપ સાથે ફરતુ રહ્યુ છે.
આ બધા વચ્ચે મરો થાય છે મધ્યમ વર્ગ તેમજ ગરીબ વર્ગનો. એમની હાલત એક સાંધોને તેર તુટે એવી જ રહે છે. આપણને આ જન્મમા તો પ્રજાલક્ષી વ્યવસ્થા કદાચ નહી મળે.. ખેર તમામ રાજનૈતિક પક્ષોને શુભકામનાઓ
- દશરથદાન ગઢવી, થરાદ
0 Comments
Post a Comment