રાજપુતાણી
સમય ની સાથે વિચારો અને વ્યવહાર મા પરિવર્તન આવે છે એ પરિવર્તન ક્યારેક સતમાર્ગે તો ક્યારેય અધર્મ ના રસ્તે લઇ જાય છે..આ સમય રૂપી હવા ની અસર થી ભાગ્યેજ કોઈ અલિપ્ત રહી શકે છે...આગળ ના લેખ માં જણાવ્યું તેમ પશ્ચીમી શિક્ષણ ના પ્રહાર થી ભારતીય આર્ય નારી પણ બાકાત રહી શકી નથી જેના પરિણામ સ્વરૂપ સમાજ માં વિવાહિત જીવન માં અરાજકતા નો માહોલ બની રહ્યો છે...સંયુક્ત કુટુંબ ની ભાવના લુપ્ત થવા માંડી છે..સ્ત્રી સ્વતંત્ર અને સમાનતા ની હવા નું પ્રદુષણ એ હદે પહોંચી ગયું કે અમુક કુટુંબો માં પુરુષ ની હાલત દયામણી બની ગઈ છે..સ્ત્રી રક્ષા માટે બનેલા કાયદા નો દુરુપયોગ કરી પોતાને સર્વસ્વ સાબિત કરવાની હોડ માં ભારતીય નારી પોતાનો મૂળ ધર્મ ભૂલી ગઈ છે...આર્ય નારી ની ઓળખાણ જાણે ભૂતકાળ બની જવા આવી છે...સંસ્કારો નું હનન અને સંસ્કૃતિ નું અધઃપતન જાણે શરૂ થઈ ગયું છે આને આ બધા પ્રદુષિત તોફાન માં પણ સંસ્કાર, સંસ્કૃતિ અને આર્ય નારી ની મૂળ ઓળખાણ સાથે પ્રકાશિત થઈ ને દુનિયા ને આશાનો પ્રકાશ પૂરો પડવાનું કામ કરી રહી છે આ દેશ ની રાજપુતાણી ....
ત્યાગ, બલિદાન અને સમર્પણ ની જીવતી જાગતી જ્યોત એટલે રાજપુતાણી.. પરંતુ એનો અર્થ એવો નથી કે સમય ની હવા ની અસર નથી થઈ આ આર્ય નારી ઉપર..જરૂર એ પ્રદુષણ રૂપી વાવાઝોડા એ એને પણ પોતાની આગોશ માં લેવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે અને રાજપુતાની એ વાવાઝોડા ના હુમલાથી દૂર ભાગવાની જગ્યાએ એનો સામનો કરી એની સાથે રહી એની અંદર રહેલા સમાજ ઉપયોગી ઓક્સિજન ને પોતાનામાં સમાવી આધુનિકતા ની સાથે બદલાવ લાવી છે અને એના પુણ્ય પ્રતાપે આધુનિકતા ની પ્રદુષિત હવા માંથી પણ સમાજ ને માર્ગ ચીંધવા ઉપયોગી થઈ શકે એવા શિક્ષણ ને અપનાવી સમાજ ને નવી દિશા અને આર્ય સંસ્કાર નો સમન્વય કરી એક નવી જ ઊંચાઈએ લઇ જવામાં માં સફળ રહી છે...
હવે પછી ના લેખો માં એક પછી એક ક્ષત્રાંણી ની વાર્તા લખવાનો પ્રયત્ન કરીશ...
ક્રમશઃ ..
લેખક :- વીર વાઘેલા ( विरमसिंह जसवंतसिंह वाघेला )
#रोयल_हिस्ट्री_एंड_स्टेट
0 Comments
Post a Comment