સતી દાડલદે નો ઈતિહાસ 

સતી દાડલદે નો ઈતિહાસ

Play video 



,,સતી , સંતો અને શૂરાઓ નાં બેસણા એટલે સૌરાષ્ટ્ર ની પાવન ભૂમિ..! સતી , સંતો અને શૂરા સમાજ નાં અઢારે વરણમા થયાં છે..!

ખીમરો કોટવાળ પોતાના પરિવાર સાથે દુષ્કાળ પાર ઉતરવા મારવાડ થીં સૌરાષ્ટ્ર નાં ઢેલડી નગરી એટલે આજનાં મોરબીમાં વસવાટ કરતાં હતાં .ઢેલડી જેઠવા નું રાજ હતું,રાજકાજ ચલાવવા તેમના વતી રણસી નામે એક રાવત વહીવટ સંભાળતા

હરિજન વણકર સમાજમાં અવતરેલા સંત દાડલદે એક ભક્ત મંડળ ચલાવતા, તે સમયે સતી તોરલ ,સંત રૂપાંદે જેવા સ્ત્રી સંતો હયાત હતા..!

દાડલદે ની દેહલતા ભલભલાને ડોલાવે તેવી હતી..! રામસાગર ખોળામાં લઈને અલખને આરાધતા ત્યારે ખુદ વાયુદેવ પણ થંભી જતાં..! સાવસર નામે તળાવ પરથી એક  દિવસ દાડલદે પાણી ભરી તળાવ ની પાળ ઉતરી રહ્યા હતા ત્યારે રાવત રણસિહ અને તેનો હજુરીયો રામુ ખવાસ ઘોડા પર સવાર થઈ પાછળ આવતા જોયા, રાવતે ઘોડાની સરક નો એક છેડો દાડલદે નાં અંગ પર નાખ્યો , દાડલદે તેનાં ભાવ પારખી ગયા અને બોલ્યા : ઠાકોર...! છોરું પર માવતરની કુડી નજર ન હોય.. મારાં બાપ..! વસ્તી ની વહુવારુઓ તો તમારી દિકરીયુ કહેવાય..!, દાડલદે વણકરવાસમાં આવ્યાં અને ફળીયામાં બહાર બેઠાં અને તેનાં પતિ ખીમરા કોટવાળ નેં કહ્યું :  , હવે મારાથી ઘરમાં નહિ અવાય , ફળીમાં જ સમાતુ લેવી પડશે..!,

, જેવી ધણી ની ધારણા..!, ખીમરા કોટવાળે કહ્યું.

,દાડલદે..! સદગુરુ નાં ચરણો તો મેં પણ સેવ્યા છે..! ગત ગંગા માં હું પણ નાહ્યો છું..! થોભી જાવ તો ગત્ નાં ગોઠીને બોલાવી રૂડાં વધામણા સાથે મારી દાડલ ને વળાવવા ઈચ્છા છે..!,

તો ભલે ચાર દિવસ રોકાઈશ ,ભજન કરીશ બાકી અન્ન જળ ની આખડી..!! કોને.. કોને તેડાવશો દાડલદે..? પુગાશે ત્યાં સુધી નાં આરાધ કરીશ,નૂરજનીયા નેં નોતરાં નોખાં નોખાં ન હોય..!,

લાવો મારા હાથમાં રામસાગર... લાવો,ઘટઘટમા વસેલો  ગત્ નેં ચેતાવશે..! આપણાં વાયક પંહોચાડશે..!

આસનવાળી હાથમાં રામસાગર લય દાડલે આરાધ માંડ્યા:

,ખીમરા સમાતું ગળાવ.. કોટવાળ સમાતું ગળાવ ,નૂગરા માણસનો છેડો લાગીયો..હો..જી..!,

ઢેલડીના શાસક રાવત રણસિહ નેં સમગ્ર હકીકત મળતા પોતે કરેલી ભૂલ યાદ આવતા લજ્જિત થયાં..!!

ફળીયાના એક ભાગમાં સમાધિ ખોદાઈ તૈયાર થઈ,  રાવત રણસિહ ને આવેલ જોઈ માનવીઓ થોડા દુર ખસી ગયા,દાડલદે જમીન માથે આંખો માંડી બેઠા હતા , બહાર નાં મહેમાનો ઊભરાવા લાગ્યા..! રાવત રણસિહે ખીમરા કોટવાળ ને પૂછ્યું : તારી ઘરવાળી જીવતા જમીનમાં સમાય છે..તે સાચી વાત છે..?,  ,જી... હાં..! રાવત જી..! મા'રાજ ઉગતા જ મુહૂર્ત છે,તમામ તૈયારીઓ થઈ ગઈ છે, આજે આખી રાત ભજન- ભાવ થશે, બે ભાઈઓ આવવાનાં બાકી છે..!, રાવતે પૂછ્યું : 

, જમીનમાં સમાવવાનું કોઈ કારણ ખરું..,?!, ત્યારે દાડલદે બોલ્યા :' અમારાં રંક ની ભોમકા અભડાવવા શાં માટે આવવું પડ્યું..?! તમે રાજા છો અમે વૈરાગી..! તમારે નામ જોઈએ..અમારે રામ..!, વિકારી નાં પાપી પડછાયાં થકી અભડાયેલ દેહને ધરતી માતાના ખોળે મૂક્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી..!,

જમીનમાં જીવતા જીવે સત્ કાજે સમાવું પડે તે અમારાં માટે રમત વાત છે..! વિશેષ જાણવા પૂછો જેસલ રાજને ,તોળાન્દેને,માલાજાળના માલદે જી રાઠોડ નેં,સતી રૂપાંદે ને..! રાવત રણસિહ જંગ વિખ્યાત સંતોને નમ્યા..!

બીજા દિવસે મા'રાજે  ઉગમણી કોર કાઢી તે વખતે દાડલે તમામ સંતોની ચરણ રજ લય સમાધિમાં ઉતર્યા, આરાધ મંડાયા,રાવત રણસિહ દાડલદે નેં શુદ્ધ ભાવનાથી નમ્યા:

,માતા...! મને તમારો બનાવતાં જાવ..! , . દાડલદે ને રાવત રણસિહે કહ્યું..!

દાડલદે પલાંઠી વાળીને સમાધિમાં બેઠાં, આંખો બંધ કરી,ખીમરો દાડલદે પાસે આવ્યા , મુઠ્ઠીમાં માટી લય સમાધિ પુરતાં બોલ્યા : સતી..! આજે મારા ગરીબ ઘરની થાંભલી ભાંગે છે..!, ત્યારે દાડલદે બોલ્યા : ,ભગત...! ઈચ્છા હોય તો આવો , ધરતી માતાના ખોળા સાંકડા નથી..! માવડી આપણને જગ્યા આપશે ,આમ કહી ધરતી મૈયાને આરદા કરી,વણ ખોદયે માર્ગ થયો , પળવારમાં બન્નેના પ્રાણપંખેરું ઊડી ગયાં..!

મોરબીમાં બન્ને વિભૂતિઓ ની સમાધિ મોજુદ છે, સમાધિ પર ફરકતી ધર્મ ધજા સતી અને સંતોના તપોબળ ની યાદ અપાવે છે. ધન્ય છે સૌરાષ્ટ્રની પાવનકારી ધરતીને કે જ્યાં આવાં વિરલ મહાપુરુષો થયાં, કહેવાય છે રાવત રણસિહ રામદેવ પીર નાં શિષ્ય થયાં , તેમનાં બનાવેલા અસંખ્ય ભજનો આજે પણ ગવાય છે..!,

શ્રી કિશોરભાઈ વાણિયા.