જય આઈ શ્રી ભોળીમા 

સર્વે સંતો પોતાનાં ગુરુ ની હાજરીમાં આઈ શ્રી ભોળીમા સમાધી લેય છે.વિક્રમ સંવત ૧૮૫૭. ભાદરવા સુદ ૬- ગુરુવારે

જય આઈ શ્રી ભોળીમા નો ઈતિહાસ


કાઠિયાવાડનુ અમરેલી શહેર એમની બાજુનું નાનાં માચીયાળા ગામ ઠેબી નદીના કાંઠે જે પ્રતાપી પુરુષ બાવા વાળા એ ગામ વસાવેલું . એ સમયમાં ગામમાં અન્ય સાથે પાંચ સાત મેઘવાળ જ્ઞાતિ ના ચાહીયા અટક નાં કુટુંબ પણ વસેલાં એમાં દાના ભગત અને એનું કુટુંબ દાના ભગત પ્રભુનું માણસ મજુરીઓ વર્ગ ખેત મજુરી કરે અને હરી સ્મરણ સાથે આનંદથી જીવે એમને એ સમયનાં મહાન સંત શ્રી આપા દાનબાપુની કિર્તી સાંભળી અને ચલાળા દર્શને ગયા ત્યાં એમને આનંદ મળ્યો જીવને શાંતિ મળી પછી તો એક નિત્યક્રમ થય ગ્યો મહીનો બે મહિના ખેત મજુરી કરે અને જેવાં દાનબાપુ યાદ આવે તો ચલાળા જાય જગ્યામાં બે દિવસ ટેલ ટપારો કરે દાન બાપુ નાં આર્શીવચન સાંભળે અને નાના માચીયાળા આવી ફરી કામે લાગી જાય.

વિક્રમ સંવત ૧૮૧૦ માં ફાગણ વદ ૧૧.ના એમનાં પત્ની ધનાબાઇ નેં પુત્રી નો જન્મ થયો નામ રાખ્યું સોનબાઈ.

દાનાભગત અવાર નવાર ચલાળા જાય આ નિત્યક્રમ હતો એમ કરતાં એક દીવસ દાના ભગત ચલાળે ગયાં છે દીકરી સોનબાઇ ચાર પાંચ વરસની થય છે માં બાપ ટેલ ટપારો કરે છે અને સોનબાઇ આપા દાનાબાપુ નાં ઢોલીઆની બાજુ માં રમે છે અને આગંતુકો નેં જોઈ બાળ માનસ મુજબ જીજ્ઞાસા સંતોષે છે એમાં એ ભોળુડી દીકરી દાન બાપુની નજરે પડે છે બાજુમાં બોલાવી મા બાપનું પુછે છે આંગળી ચીંધી નેં સોનબાઇ મા બાપ ને બતાવે છે પરંતુ ભોળી બાળા પર આપા દાનબાપુની કૃપા ઉતરે છે અને નામ "ભોળી" આપે છે પાસે બોલાવી આઈ શ્રી ભોળીમા ઉપર પોતાનો પંજો ઠેરવી આશિર્વાદ આપે છે અને આઈ શ્રી ભોળીમા ની ચેતના નાની ઉંમરથી જાગૃત થાય છે.

ભક્તિમય ઘર અવાર નવાર કોઈ મહેમાન આવે કોઈ પ્રસંગ અનુસાર ઘરે ભજન સંતસંગ થાય વળી બે ત્રણ મહિને દાના ભગતને આપા દાનબાપુ નાં દર્શન કરવાની ઈચ્છા થાય તો ચલાળા જાય એવું ભક્તિમય વાતાવરણમાં આઈ ભોળી યુવાન અવસ્થાએ પહોંચ્યા પરંતુ ભક્તિ વાળું જીવન ઘર સંસાર માડંવાની જરાયે ઈચ્છા નહી બસ દાનબાપુની આશિર્વાદ અનુસાર ભક્તિ કરવી આવ્યાં ગયાં ગરીબ ઘરે પરોણા સાચવવાં માતા પિતાની સેવા કરવી એવી એમની ઈચ્છા પરંતુ દરેક માતા પિતાને દીકરી હોય કે દીકરો એમનાં સમય અનુસાર લગ્ન ગ્રંથીથી જોડાય અને એમનો ગૃહસ્થાશ્રમ સંભાળે એવી દરેક માતા પિતાની અભિલાષા હોય એટલે એમની શોધખોળ ચાલુ હોય છે.

આ શોધખોળ નાં હિસાબે ધારી તાબાના ભલગામે બેડવા અટક નાં મેઘવાળ યુવાન મુળા ભગતની વાત મળી એ પણ ગીરનારી સંતો નો ચાહક અને વેલા બાપાની ધૂણીએ અવાર નવાર મહેનત મજુરી કરી બે પાંચ મહીને જુનાગઢ જતાં હોય એમને પણ સંસાર માં જરાયે ઈચ્છા નહી એવાં યુવાનનાં માતા પિતા પણ કન્યાની શોધ કરે છે અને કુદરતી સંજોગો ઉભા થતાં બંને પરીવાર નાના માચીયાળા દાના ભગત નાં ઘરે મળે છે અને આ ભક્તિમય જોડીના સંગાઈ લગ્ન ગોઠવાઈ છે અને પરણીને ભોળીમા ભલગામે સાસરે જાય છે, ત્યાંથી પણ મહેનત મંજુરી કરીને બે ચાર મહીને આપા દાનબાપુ નાં દર્શન કરવા બંને જણા ચલાળા જાય છે બે દિવસ ટેલ ટપારો કરીને ફરી પાછાં કામે લાગી જાય છે આવું ભક્તિમય જીવન નિર્વાહ કરતા ભોળી મા મુળા ભગત નાં ઘરે દીકરી રાજબાઇ નો જન્મ થાય છે.

એક વખત ભલગામે શિવરાત્રી ઉપર ગીરનાર જવા વાળાં સાધુડાનો સંઘ ગામમાં ઊતારો કરે છે અને સાધુડા નાં દર્શન થતાં જે મુળા ભગત નાં ભીતરમાં જે ઈચ્છા ધરબાયેલી હતી એ બહાર આવે છે અને ભોળી માને વાત કરે છે કે માંરો જીવ આ સંસાર માં મુંઝાય છે તો મને રજા આપો હું કાયમ માટે વેલા બાવાની ધૂણીએ જવા માગું છું.બંને પતિ પત્ની વિચારવિમર્શ કરી એક વાત ઉપર આવે છે ભલે આપણે છુટાં પડ્યે પણ જીવન નાં આખરી સમયે આપણે સાથે મળવું અને સાથે આ દેહ છોડવો એવાં બોલ કોલ સાથે આઈ ભોળી મા મુળા ભગત ને રજા આપે છે.

ત્યારબાદ આઈ ભોળી મા ચલાળે દાનબાપુને ત્યાં આવે છે રોકાય છે અને દાન બાપુ ને જણાવે છે બધી વાત દાન બાપુ આવકારે છે એમની ઈચ્છા અને આશીર્વાદ સાથે ભોળી મા જગ્યામાં ટેલ ટપારો કરે છે, સમય વહેતો જાય છે આઈ ભોળી માની દીકરી રાજબાઇ યુવાની નાં ઉંબરે પહોંચે છે.એક દીવસ દાન બાપુ આઈ ભોળી નેં જણાવે છે દીકરી તારી દીકરી રાજબાઇ ઉંમર લાયક થય છે તો તારે ગામ જા ત્યાં મહેનત મજુરી કરી નેં રહેજે અને સમાજ માં રહેવાથી ત્યાં તારી જવાબદારી કન્યા નાં લગ્નની એ પુરી થશે અને મારાં આશિર્વાદ તારી સાથે છે દીકરી ત્યાં મારાં ઠાકર નું સ્મરણ કરજે.

આઈ ભોળી મા માચીયાળે આવે છે રહેવાની વ્યવસ્થા કરે છે અને મહેનત મજુરી કરી દીકરી રાજબાઇ નેં પોતાનાં સહોદર ભાઇ નાગાજણ નાં દીકરા ત્રિકમભાઈ નેં દીકરી આપે છે અને બાકીનું જીવન મહેનત મજુરી સાથે આવ્યા ગયાં નાં અતિથી સત્કાર સાથે વિતાવે છે.

એક વખતનો સમય છે વરસ ખુબ સારું થયું છે ઘંઉની ઊપજ સારી છે, બધાંએ ઘંઉ નાં ખળા કરી લીધાં છે અને પછીથી ગરીબ મજુર લોકો જે જમીન માં ઘંઉના સરલ પડ્યાં હોય છે એની ડુડીયુ વીણવા જતાં હોય છે કોઈ ખેડૂત નાં નથી પાડતાં હોતાં એવાં સમય માં અન્ય પાડોશી મહીલાઓ સાથે આઈ શ્રી ભોળીમા પણ સરલ ડુડીયુ વીણવા જાય છે ખેડૂત કણબી અંહકારી હોય છે વાડીએ કોઈ નથી કે કોઈ ને પુછે એમ અન્ય ખેતરથી વીણેલ સરલ ડુડીયુ સાથે આ ખેતરમાં પણ ડુડીયુ વીણવા લાગે છે અને ખેડત આવતાં આ મજુરીઆ સ્ત્રી વર્ગ નેં નાં બોલવાનું બોલે છે આઈ નો આત્મા દુભાય છે અને જે કાંઈ સરલ ડુડીયુ ભેગી કરી હતી એ ત્યાં મુકીને એટલું બોલે છે તમાંરો ભાવ તમને અને ઘરે ચાલી જાય છે, થોડા બે ત્રણ કલાક પછી ખેડતની બળદ જોડી બીમાર પડે છે ઘણાં ઓસડીઆ કરવાં છતાં સારું નથી થતું તો ખેડુત દાન બાપુ મહારાજની જગ્યામાં ચલાળા ગાડી ઘંઉની ટેલ કરવાની માનતા રાખે છે અને સાંજ બળદો સારાં થાય છે ખેડૂત ખુશ થઈ બીજા દિવસે માનતાં ઉતારવાં ગાડું ઘઉં ભરીને ચલાળા જગ્યાએ જાય છે ત્યાંના ટેલીઆ ઓને કહે છે મારી માનતાં નાં ઘંઉ તમેં સ્વિકારી ઉતારી લ્યો ટેલીઆ દાનબાપુ નેં પુછે છે દાનબાપુ ખેડુત નેં બોલાવી કહે છે મુઠી સરલની ડુડીયુ નાં બદલામાં આ ગાડી ઘંઉની તું દેવા આવ્યો છે એ અમણા નથી આ ઘંઉ નાના માચીયાળા આઈ ભોળી માંના છે એ આઈ જોગમાયા નેં ત્યાં ઉતારી આવો.ખેડુત અચંબામાં પડે છે આ શું આઈ ભોળી મા જોગમાયા મારી બહું મોટી ભૂલ થય વાત એ પારખી ગયાં અને ગામ તરફ વળતાં બળદો પણ ચાલવાની રફતાર વધારી વહેલાં નાના માચીયાળે આવ્યાં ખેડૂત બે હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું મા આ ઘંઉ ક્યાં ઉતારૂં કાચી માટીનું ઘર ઓસરી માં એક નાની કોઠી પડી છે મા એ બતાવી ત્યાં ઉતારો માંડ પાંચ મણ ઘઉં સમાય એવી કોઠી માં ગાડી ઘંઉની સમાય ગય ખેડૂતનું અભિમાન ઉતરી ગયું અને માની શરણાગત સ્વિકારી અને વરસોથી જે કાંઈ ખેતી માં ઊપજે એ માનતાં નિમિત્તે યથા શક્તિ એમની પેઢી પણ આજે એ માનતાં જાળવી રાખી છે.

આ કોઠી માટે આઈએ રાજબાઇ નેં જણાવેલ કોઈ દીવસ કોઠી ખોલતાં નહીં આ દાન બાપુની પ્રસાદી છે અને જે અનાજ જોઈએ એ સાણે એટલે કોઠીના નાળસે થીં અનાજ લેવું એ કોઠીનું અન્ન દુષ્કાળ નાં સમયમાં કય કેટલાની જઠ્ઠરાગન્ની શાંત કરી પરંતુ સમય જતા આઈ ભોળી માની સમાધી પછી આઈ રાજબાઇ ક્યાંય બહાર ગામ ગયેલા અને જીજ્ઞાસા વંશ એમનાં વહું એ કોઠી ખોલેલ સંતો નાં વચન જાળવવા.

એક દિવસ ના સમયે આઈ ભોળી મા નાં ઘરથી દુર દીવાળી ઉપર દેવીપૂજક લોકો નાં ઉતારા થયાં અને એમની શ્રદ્ધા અનુસાર માતાજી નાં નૈવેદ્ય રાખ્યા એમાં પશુ બલી નાં રીવાજ મુજબ એક પાંડા નેં ધરવાની વાત આવી ભૂવા ધુણીયા અને પાડો નક્કી થયો પરંતુ પાડો ત્યાથી છટકી આઈ ભોળી નાં ઘર બાજું માં બેસી ગયો એ લોકો પાડો લેવાં આવીઆ મા ભોળીએ એમને ખુબ સમજાવ્યાં પરંતુ એ સમજ્યાં નહીં આઈ ભોળી એ પાંડા ઉપર કરૂણા વરસાવી કોઈ રીતે દેવી પુજકો પાડાને લય જય શક્યાં નહીં અહી તેમને આઈ શ્રી ભોળીમા નાં રૂપમાં સાક્ષાત જોગમાયા નાં દર્શન થયાં એમને વાત સમજાણી અને એ સાખ નાં દેવી પુજકો એ કાયમી માટે જીવ બલી પ્રથા છોડી મુકી પછી આઈ ભોળી મા એ પાંડા પર સવારી કરી આજુબાજુ નાં ગામે જતા.

સમય જતાં આઈ ભોળી મા ને વાવડ મળ્યા કે છ મહીના વરસ દિવસ પહેલાં મુળા ભગતે ભલગામ સમાધી લીધી એમને બહુ દુઃખ થયું પરંતુ સમાધી લેતાં પહેલાં વચન યાદ હતું પરંતુ ભોળી મા સંસાર માં રહે એવું ધારી ને જાણ નહીં કરેલ, ભોળી મા ને બંને જણા નાં બોલ કોલ યાદ આવીયા થોડાં દુઃખી થયાં અને નાત ભાઈ ગામ ભાઇઓ સાથે ભલગામ આવે છે અને હ્રદયની લાગણી આંસુ રૂપે વહે છે અને મુળા ભગતની સમાધી માથી ભગતનો પંજો બહાર આવે છે એ પંજો સાથે લયને આઈ ભોળી મા નાના માચીયાળા આવે છે અને જીવતાં સમાધિ લેવાનું નિર્ધારિત કરે છે.

આતો ભાઇ પાંચાળ નાં સંત ગેબીનાથની પ્રસાદી હતી આપા મેપા, આપા રતા,આપા જાદરા એમનાં શિષ્ય આપા દાનબાપુ મહારાજ એમનાં શિષ્ય આપા વિસામણ,આપા ગીગા,આઈ મુળી મા,આઈ ભોળી મા,મુળજી બાપા દાનબાપુ નાં મુખ્ય શિષ્યો હતા દાન બાપુની કૃપા દૃષ્ટિ પામેલ સંતોની વાડી માંના ફુલ આઈ શ્રી ભોળીમા સર્વે સંતો ને સમાધી ની જાણ કરે છે અને સર્વે સંતો પોતાનાં ગુરુ ની હાજરીમાં આઈ શ્રી ભોળીમા સમાધી લેય છે.વિક્રમ સંવત ૧૮૫૭. ભાદરવા સુદ ૬- ગુરુવારે.

સૌરાષ્ટની ધરતી જ્યાં સંત સતિઓ, શુરવીરો અને દાનવીરો જન્મે છે જેમની ધર્મ ધજાઓ આજે આકાશથી વાતું કરે છે,અને દિવસે દિવસે વધું માનવ સેવા સાથે પસુ પંખી અને વૃક્ષોની સેવા વધી રહી છે.

આઈ શ્રી ભોળીમા પછી આઈ રાજબાઇએ ભોળી માની જગ્યા સંભાળેલ અને એમનાં ચાર દીકરા હતા અને એ સંત પરંપરા આજે સચવાયેલી છે રાજી આઈ ની ચોથી પેઢી એ મેપા ભગત નાં દીકરા કરશન ભગત મહંત તરીકે સેવા હાલ માં આપે છે.

નાના માચીયાળે આઈ ભોળીમા નો દરબાર

હાલોને દર્શને જાયેં મારાં ભાઇ બહેન.....

ચેતન સમાધી એ બિરાજે આઈ ભોળી મા

સર્વે નાં દુઃખ હર્તા સુખ કર્તા છે ભોળી મા.... ટેંક

અંતર મને ઉજાસ પાથરે ભોળીમા

અંધ્ધશ્રધાને દુર થી ભગાવે ભોળીમા..... ટેંક..

જગતનાં સર્વે દુઃખનું કારણ છે અહીં ડર

ડર ભગાવી નિર્ભયતા આપે ભોળી મા.... ટેંક..

જગતનાં વ્યવહારે તકલીફો છે ભારી મા

તકલીફો દૂર કરે સર્વે જનોની ભોળી મા.... ટેંક..

ચાલોને ભાઈ માથું ઝુકાવવા જઈએ ચરણોમાં 

ભાઈ માણસ માંથી મહામાનવ બનાવે ભોળી મા... ટેંક

માની જાત્રાએ આવે સજ્જનો દેશ વિદેશથી

શ્રીફળ,કંકુ,ફળ ફુલથી રાજી મારી ભોળી મા.... ટેંક

માની કૃપાનો નથી પાર ભક્તો જગતમાં

પોકારે આજે હોંકારો આપે આઈ ભોળી મા.... ટેંક

દેવી શક્તિ ઉપર જગત ટકેલું છે ભાઈ મારાં

"નરેન્દ્ર" મારી કૃપાળુ દેવી શક્તિ આઈ ભોળી મા...ટેંક.

******************************************

# નરેન્દ્રભાઈ બી વાઘેલા.

ગુરુ શ્રી દેવજી બાપા ગુરુ શ્રી રામજીબાપા- 

હીરસાગરબાપા ગુરુ દ્વારા (રાજકોટ)