#કાલરીગઢનો_ઐતિહાસિક_ભવ્ય_વારસો
ગઢ કાલરી પાટણથી 120 ગામની જાગીર લઈ સમૃદ્ધ નગરી જ્યાં અખુટ જળથી ભરેલા સરોવરો તથા વિવિધ પદાર્થોના વેપાર વાળી 50 ગોદાન તે સોલંકી મુળરાજદેવજી પ્રથમે કાલહરી( કાલરી) મુકેલા યજુર્વેદી બે(૨) પંડ્યા તથા ત્રણ(૩) રાવલ શાખાનાં બ્રાહ્મણોના યજમાનપદે આગળ મેઘપાલજી સોલંકીનું શાસન ચાલ્યું.તેમાં તેમના પુત્ર જસરાજજી સોલંકી કાલરીગઢની ગાદીએ આવ્યા.સંવત 1181 માં તેમના પુત્ર સુરસંગજી ગાદીએ આવ્યા.
સુરસંગજીએ કાલરીગઢ ગાદી શોભાવી અને તેમના ભાઈ નારસંગજી તેમના દીકરા કુંભાજી ઉર્ફે વિરભદ્રજીએ પોતાના બાહુબળથી વિરપુર સંવત 1281 માં વસાવ્યું.જે પછી લુણાવાડામા ગાદી સ્થળાંતર કરી.
કાલરીગઢમાં સુરસંગજીના વારસ દારોએ ગાદી શોભાવી. તેમજ બીજા ઇતિહાસોમાં મતમતાંતરો જોવા મળે છે.જે આગળના પ્રકરણોમાં સ્પષ્ટતા કરવામાં આવશે. હવે તે સમયમાં પાટણપતિ કુમારપાળદેવજીએ તે સમયે કાલરીમાં 1 લાખના ખર્ચે જૈનમંદિર પણ બનાવ્યું હતું અને મેઘપાલજીના વારસદારોએ મહાદેવના મંદિર તથા વાવો કરાવ્યાના ઉલ્લેખ,મોટા દરવાજા બંધાવ્યાના શિલાલેખ અને હાલ અસંખ્ય અવશેષો મળે છે.જેમાં લીલાસર તળાવ અને સેંધાસર તળાવનો સમાવેશ થાય છે.
તામ્રપત્રમા પણ જે નગરીનો ઉલ્લેખ મળે છે એવી સમૃદ્ધ અને ભવ્ય વારસાની સાક્ષી આપતુ એક ઐતિહાસિક નગર એટલે ગઢકાલરી !!
🚩 #સોલંકી_રાજવંશ_ગુજરાતનો_સુવર્ણકાળ 🚩
લી-સોલંકી રાજવંશ ઈતિહાસ સંશોધન સમિતિ
0 Comments
Post a Comment